SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા २७ તેમ છતાં અમે અગાઉ જણાવી ગયા છીએ તેમ એને ઉપયાગ ટિપ્પણારૂપે લખવા માટે તેમજ ચિત્રપટ કે મંત્ર-યંત્રપણે લખવા માટે જ વધારે પ્રમાણમાં થતા અને થાય છે. ૩૪ભૂર્જપત્ર-માજપત્રના ઉપયાગ બાધેા અને વૈદિકાની જેમ જૈન પુસ્તકા લખવા માટે થયા જણાતા નથી, તેમ એના ઉપર લખાએલા કાઇ નાનામેાટા જૈન ગ્રંથ કઇ જ્ઞાનભંડારમાં જોવામાં પણ નથી આવતા. માત્ર અઢારમીઓગણીસમી સદીથી યતિએ ના જમાનામાં મંત્ર-તંત્ર-યંત્રાદિ લખવા માટે તેને કાંઇક ઉપયાગ થએલા જોવામાં આવે છે, પણ તે બહુ જ ઓછા પ્રમાણમાં, તેમ ખાસ વ્યવસ્થિત પણ નહિ, મંત્ર-તંત્ર-યંત્રાદિના લેખન માટે કાંસ્યપાત્ર૭૫ તામ્રપત્ર, રૌખપત્ર, સુવર્ણપત્ર અને પંચધાતુનાં પત્ર વગેરેના ઉપયાગ જૈને એ ખૂબ છૂટથી કર્યાં છે, પણ જૈન પુસ્તકાના લેખન માટે એના ઉપયાગ કર્યો દેખાતા નથી. સીલેાન આદિમાં પંચતીર્થી નિત્રપટ છે, જે સંવત ૧૪૯૦માં લખાએલા છે. એની લંબાઇ-પહોળાઈ ૩૮ ફુટ×૧૨ ઈંચની છે. એના અંતમાં નીચે મુજબની લખાવનારની પુષ્ટિકાઓ છેઃ संवत् १४९० वर्षे फा० व० ३ चंपकनेरवासि प्राग्वाटज्ञातीय सा० खेता भा० लाडीसुत सा० गुणयिकेन સ્ટેલ: રિતયમ્ ॥ संवत् १४९० वर्षे फा० व० ३ चपकनेरवासि मं० तेजा भा० भावदेसुत को० वाघाकेन प्राग्वाटज्ञातीयेन श्री शान्तिप्रासादालेखः कारितः ॥ આ પર પંચતીથી પર નથી, પણ ટીપમાં તેનું જે નામ લખ્યું છે તે અમે નોંધ્યું છે. આ પઢ અમે શ્રીયુત એન.સી મહેતાને પ્રસિદ્ધ કરવા માટે આપેલા છે જે અત્યારે તેમની પાસે જ છે. આ ચિત્રપટનો પરિચય તેઓએ કેટોગ્રાફ સાથે ઈ.સ. ૧૯૩૨ના ‘ઈંડિયન આર્ટ ઍન્ડ લેટર્સ’ના પેજ ૭૧-૭૮માં A picture roll from Gujarat (A.D. 1433) શીર્ષક લેખમાં આપેલા છે. ૩૪ ભાજપત્ર સામાન્ય રીતે તાડપત્ર જેટલાં ટકાઉ નથી હાતાં. ખાસ કરીને સફા વાતાવરણમાં એ વધારે ટકતાં નથી. એની ઉત્પત્તિ ઉત્તર હિંદુસ્તાનમાં થતી હોઈ લખવા માટે એના ઉપયાગ તે પ્રદેશમાં જ થતા હતા. જૈન પ્રજાએ એના ઉપયેગ કર્યાં જણાતા નથી. ભાજપત્ર ઉપર લખાએલાં પુસ્તકામાં સાથી પ્રાચીન પુસ્તક એક ખેાતાન પ્રદેશમાંથી મળેલ ધમ્મપદ' નામના વૈદ્ધ ગ્રંથના કેટલાક અંશ છે, જે ઈ.સ. ની બીજી અથવા ત્રીજી શતાબ્દીમાં લખાએલ મનાય છે; અને બીજું ‘સંયુક્તાગમ’ નામનું ઐાદ્ધ સૂત્ર છે, જે ડા. સ્ટાઇનને ખાતાન પ્રદેશમાંના ખલિક ગામમાંથી મળ્યું છે અને એની લિપિ ઉપરથી એ ઈ.સ.ની ચેાથી સદીમાં લખાએલું મનાય છે. ૭૫ કાંસ્યપત્ર, તામ્રપત્ર, રૌપ્પપત્ર અને સુવર્ણપત્રમાં તેમજ કેટલીકવાર પંચધાતુના મિશ્રિતપત્રમાં લખાએલા ઋષિમંડલ, ઘંટાકર્ણ, ચેાડિયા ચૈત્ર, વીસે। યંત્ર વગેરે મંત્ર-યંત્રાદિ જૈન મંદિરોમાં ઘણે ઠેકાણે હોય છે. જૈન પુસ્તકા લખવા માટે આ જાતનાં કે બીજી કઇ ધાતુનાં પતરાંના ઉપયોગ ક્યારે ચ થયેય જણાયા નથી, લા. પ્રા. લિ, પૃ. ૧૫૨-૫૭માં તામ્રપત્રોમાં કાતરાએલાં દાનપત્રોની મહત્ત્વપૂર્ણ નોંધ આપી છે. એ દાનપત્ર પૈકીનાં કેટલાંક દાનપત્રો ૨૧ પતરાંમાં સમાપ્ત થાય છે, એવાં મોટાં છે. પુર્વે ટૂંકી પ્રથમ ખંડમાં તામ્રપત્ર ઉપર પુસ્તક લખાવાના ઉલ્લેખ છેઃ 'इयरेण 'तंबपत्ते तणुगेसु रायलक्खणं रएऊणं तिलारसेणं तिम्मेऊण तंबभायणे पोत्थओ पक्खित्तो, निक्खित्तो नयरबाहिं दुव्वावेढमज्झे ।' पत्र १८९. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy