SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ આધારે એટલું નિર્વિવાદ રીતે કહી શકાય છે કે ઈ.સ. પૂર્વે પાંચ સૈકા પહેલાં ભારતીય લિપિ પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકી હતી. ઘણાખરા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય લિપિમાત્રને “સેમેટિક લિપિમાથી ઉત્પન્ન થયાનું મનાવવા પ્રયત્ન કર્યો છે, પરંતુ એ વાતને તેઓએ સચોટ દલીલો દ્વારા અસત્ય પુરવાર કરી છે. - ચાઈનીઝ ભાષામાં રચાએલા “ફા યુઅન , લિન' નામના બૌદ્ધ વિશ્વ કેશમાં બ્રાહ્મી, ખરેષ્ઠી આદિ લિપિઓની ઉત્પત્તિ વિષે લખતાં તેમાં બૌદ્ધ ગ્રંથ લલિતવિસ્તરી પ્રમાણે ૬૪ લિપિ. ના નામ આપ્યાં છે, જેમાં પહેલું બ્રાહ્મી અને બીજું ખરોષ્ઠી (કિઅ-લુ-સે-ટોક-લુન્સેટો= ખર–ટ ખરોષ્ઠ) છે. “ખરોષ્ઠીને વિવરણમાં લખ્યું છે કે “લખવાની કળાની શોધ ત્રણ દેવી શક્તિવાળા આચાર્યોએ કરી છે. તેમાં સૌથી પ્રસિદ્ધ બ્રહ્મા છે, જેમની લિપિ (બ્રાહ્મી) ડાબી ૩ અત્યાર સુધીમાં અશોકથી પહેલાંના માત્ર બે નાનાનાના શિલાલેખ મળ્યા છે. જેમાં એક અજમેર જિલ્લાના વડલી ગામથી શ્રીયુક્ત ગે. હી. ઓઝાજીને મળ્યા છે અને બીજો નેપાલમાંના “પિઝાવા”નામના સ્થાનમાં આવેલ એક સ્તૂપની અંદસ્થી મળેલ પાત્ર ઉપર ખેદાએલો છે, જેમાં બુદ્ધદેવનાં અરિથ છે. આમાંને પહેલો એક થાંભલા ઉપર બેદાએલા લેખને ટુકડે છે, જેની પહેલી પંક્તિમાં “વર[1] મત]” અને બીજી પંક્તિમાં “ચતુરાસિતિન’ બદાએલ છે. આ લેખનું દેરાસીમું વર્ષ જૈનેના છેલ્લા તીર્થંકર વીર (મહાવીર)ના નિર્વાણ સંવતનું છે. એટલે આ લેખ ઈ.સ. પૂર્વે ૪૪૩ને છે. બીજે પિઝાવાના તૂપમાં લેખ બુદ્ધના નિર્વાણ સમય અર્થાત્ ઈસ. પૂર્વે ૪૮૭થી કાંઇક પછીને હેવી જોઈએ. પહેલો શિલાલેખ અજમેરના રાજપૂતાના મ્યુઝીએમમાં છે અને બીજે કલકત્તાના “ઇન્ડિયન મ્યુઝીએમમાં છે. ભા. પ્રા. લિ. પૃ. ૨-૩. ૪ અરબી, ઈથિઓપિ, અરમાઈ, સીરીઅફ, ફિનિશીઅન, હિબ્રુ આદિ પશ્ચિમી એશિયા અને આફ્રિકા ખંડની ભાષાઓ તથા તેમની લિપિઓને સેમેટિક' અર્થાત્ બાઈબલપ્રસિદ્ધ નૂહના પુત્ર શેમનાં સંતાનોની ભાષા અને લિપિઓ કહે છે. ५ ब्राह्मी, खरोष्ठी, पुष्करसारी, अंगलिपि, बंगलिपि, मगधलिपि, मांगल्यलिपि, मनुष्यलिपि, अंगुलीयलिपि, शकारिलिपि, ब्रह्मवल्लीलिपि, द्राविडलिपि, कनारिलिपि, दक्षिणलिपि, उग्रलिपि, संख्यालिपि, अनुलोमलिपि, ऊर्ध्वधनुलिपि, दरदलिपि, खास्यलिपि, चीनलिपि, हूणलिपि, मध्याक्षरविस्तरलिपि, पुष्पलिपि, देवलिपि, नागलिपि, यक्षलिपि, गन्धर्वलिपि, किन्नरलिपि, महोरगलिपि, असुरलिपि, गरुडलिपि, मृगचक्रलिपि, चक्रलिपि, वायुमरुलिपि, भौमदेवलिपि, अंतरिक्षदेवलिपि, उत्तरकुरुद्वीपलिपि, अपरगौडादिलिपि, पूर्व विदेहलिपि, उत्क्षेपलिपि, निक्षेपलिपि, विक्षेपलिपि, प्रक्षेपलिपि, सागरलिपि, वज्रलिपि, लेखप्रतिलेखलिपि, अनुद्रुतलिपि, शास्त्रावर्तलिपि, गणावर्तलिपि, उत्क्षेपावर्तलिपि, विक्षेपावर्तलिपि, पादलिखितलिपि, द्विरुत्तरपदसन्धिलिखितलिपि, दशोत्तरपदसन्धिलिखितलिपि, अध्याहारिणीलिपि, सर्यरुत्संग्रहणीलिपि, विद्यानुलोमलिपि, विमिश्रितलिपि, ऋषितपस्तप्तलिपि, धरणीप्रेक्षणालिपि, सर्वोषधनिष्यदलिपि, सर्वसारसंग्रहणीलिपि अने सर्वभूतरूद्ग्रहणीलिपि. __ -ललितविस्तर अध्याय १० ભા. પ્રાલિ. પૃ. ૧૭ ટિ. ૩માં ઉપરોક્ત નામ આપીને છેવટે ઉમેરવામાં આવ્યું છે કે આમાંનાં ઘણાંખરા નામે કલ્પિત છે.” ૬ બ્રાહ્મીલિપિની ઉત્પત્તિના સંબંધમાં જૈન માન્યતા આ પ્રમાણે છે. (૪) ભગવાન ગષભદેવે પિતાની પુત્રી બ્રાહ્મીને સૌ પહેલાં લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું તેથી એનું નામ બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે. તે સ્ત્રિીવિદ્દાળ, ળેિજ વંશી રાદળાનં ૫ (બાવચનિયુ#િ–માર્ગ જાથા ૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy