SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ઉદ્દેશ આજે અમે ‘લેખનકળા’ના વિષયમા કાઇક લખવાના નિરધાર કર્યો છે તેના મુખ્ય ઉદ્દેશ એ છે ૐ આજે સકાઓ થયાં ચાલુ પતનને અંતે ભારતવર્ષે પોતાના પુનરુત્થાનના આરંભ કર્યો છે. એ આરંભ કોઇ અમુક એક અંગ કે દિશાને લક્ષીને છે એમ નથી, પરંતુ એનું એ પુનરુત્થાન રાષ્ટ્રીય સામાજિક, ધાર્મિક તેમજ વિજ્ઞાન, સાહિત્ય, કળા અદિ પ્રત્યેક વિભાગને લક્ષમાં રાખીને થઇ રહ્યું છે. સેંકડો વર્ષથી ભારતવર્ષમાં પ્રવર્તી રહેલ ભીષણ રાજકીય વિપ્લવ આદિને પરિણામે નાશ પામેલ પ્રત્યેક વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરેને વંત કરવા માટે જેમ અનેકાનેક પ્રયત્નો ચાલી રહ્યા છે એ જ રીતે વર્તમાન મુદ્રણયુગને લીધે અદૃશ્ય થતી આપણી પરાપૂર્વથી ચાલી આવતી વિશિષ્ટ લેખનકળા, તેનાં સાધના અને કલાધર લેખકેા' એ સૌના પુનરુદ્ધાર કરવાના પણ એક જમાના આવવાના છે એમાં જરા પણ શંકા નથી. તેવે સમયે આવી નિબંધ પે સંગ્રહ કરાએલી સાધન વગેરેને લગતી નાંધા કાર્યસાધક અને એ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે ‘લેખનકળા’ના સંબંધમાં કાંઇક લખવા પ્રેરાયા છીએ. નામ અને વિષય ભારતવર્ષની ત્રણ મુખ્ય સંસ્કૃતિઓઃ જૈન શ્રમણસંસ્કૃતિ, બૌદ્ધ શ્રમણુસંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ. આ ત્રણે મહાન સંસ્કૃતિઓએ આર્ય પ્રજાના આતર અને બાહ્ય જીવનના વિકાસ માટે જેમ સતત અનેકવિધ પ્રયત્નો સેવ્યા છે એ જ પ્રમાણે પ્રસ્તુત લેખનકળાના વિકાસ માટે ભારતની ત્રણે સંસ્કૃતિએ સંયુક્ત પ્રયત્ન કરેલા હેાવા છતાં જૈન શ્રમણુસંસ્કૃતિએ એ કળા તેમજ તેનાં સાધન આદિના વિકાસ અને સંગ્રહમાં કેવી અનોખી ભાત પાડી છે એ વિષયને દર્શાવતા પ્રસ્તુત નિબંધ હાઈ એનું નામ અમે ‘ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા' એવું આપ્યું છે. ભારતીય લેખનકળા ભારતીય લિપિઓની ઉત્પત્તિ પ્રસ્તુત નિબંધમાં જૈન લેખનકળા'ના સંબંધમાં કાંઇક લખવા પહેલાં ભારતીય લિપિ અને લેખનકળાની ઉત્પત્તિના વિષયમાં ઘેાડું લખવું યેાગ્ય છે. ભારતીય પ્રજાની લિપિ–વર્ણમાલા ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થઈ, એ સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનાના અનેક મતા હેાવા છતાં રાયબહાદુર શ્રીયુક્ત ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ પોતાના ‘ભારતીય પ્રાચીન લિપિમાલા' નામના પુસ્તકમા એમ નક્કી કર્યું છે કે ભારતીય આર્ય સભ્યતા અતિ પ્રાચીન હોઈ એની લિપિ અત્યંત પ્રાચીન તેમજ સ્વતંત્ર છે, એની ઉત્પત્તિ ક્યારે અને શામાંથી થઈ એ કહેવું શક્ય નથી, તેમ છતાં ચાલુ ઐતિહાસિક પદ્ધતિ મુખ્યત્વે કરીને દષ્ટ પ્રમાણેા ઉપર આધાર રાખતી હૈાઈ, ઉપલબ્ધ થતાં પ્રમાણાને ૨ આ વિભાગ લગભગ અક્ષરશ: મારતીય પ્રાચીન સિદ્દિમામાંથી ફકરા લઈને જ લખવામાં આવ્યા છે. જે ભારતીય પ્રાચીન–અર્વાચીન લિપિએ, તેની ઉત્પત્તિ, હિંને વિસ્તૃત અને વિશિષ્ટ પરિચય તેમ જ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમણે ભા॰ પ્રા લિ પુસ્તક જ જોવું જોઇએ. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy