SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ક્ષેત્ર દેવતા-થોય-વિશેષ કથન (૩) સાધ્વીજી તથા શ્રાવિકા વર્ગ સંધ્યાકાલીન સર્વે પ્રતિક્રમણમાં નિત્ય આ થોય બોલે છે. ૦ સૂત્ર માહામ્ય : મોક્ષમાર્ગની સાધના કરવામાં, સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગમાં ક્ષેત્ર, વસતિ, ભૂમિ સદા આવશ્યક છે. જો વસતિ-ક્ષેત્રની અનુજ્ઞા જ ન મળે તો સાધુ-સાધ્વી પોતાના નિત્ય સ્વાધ્યાયાદિ અનુષ્ઠાન કરે ક્યાં ? હવે ક્ષેત્ર-વસતિની પ્રાપ્તિ પણ થઈ જાય, પછી તે ક્ષેત્ર નિરુપદ્રવી છે કે નહીં? તે પણ એટલું જ મહત્ત્વનું છે. જો ક્ષેત્ર વિદનરહિત હશે આરાધના વધારે સરળતાથી અને એકાગ્ર ચિત્તે થઈ શકશે. આ ક્ષેત્રની નિરુપદ્રવ સ્થિતિ માટે ક્ષેત્રદેવતાને નિમિત્તે કાયોત્સર્ગ કરી તેમને પ્રાર્થના કરાય છે. પૂર્વાચાર્યોએ પણ વિશિષ્ટ આરાધના, સંલેખનાદિ કાર્યો આદિ પ્રસંગોએ આ રીતે ક્ષેત્રદેવતાની આરાધના-કાયોત્સર્ગ કરેલા હોવાના વિધાનો પ્રાપ્ત થાય જ છે. - સૂત્ર-નોંધ :– આ સૂત્ર-થોય સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. – થોય “ગાહા' છંદમાં તૈયાર થયેલ છે. - આવશ્યક સૂત્ર આદિ કોઈ આગમમાં તેનું પ્રમાણ મળતું નથી પણ પ્રાચીન સામાચારીથી પ્રાપ્ત એવી “જીસે ખિન્ને સ્તુતિનું કિંચિત્ ફેરફાર સાથે સંસ્કૃત રૂપાંતર હોય તેવું જણાય છે.
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy