SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સમજવાનો પ્રયત્ન કરીએ તો– ૦ નિમન એટલે રોધ કરવો કે રોકવો તે. ઓઘનિર્યુક્તિની દ્રોણાચાર્યજી કૃત્ વૃત્તિમાં જણાવે છે કે— “શ્વાસનું રોધન એટલે નાસિકાને દૃઢતાથી ગ્રહણ કરીને દબાવી રાખે, જેથી શ્વાસ રુંધાય. (શ્વાસ રુંધાતા નિદ્રામાંથી પૂર્ણપણે જાગૃત થાય અથવા તો નિદ્રામુક્ત બની જાય) -- • आलोए આલોકે, આલોકન કરે, બારણા તરફ જુએ, પ્રકાશવાળા સ્થાન તરફ દૃષ્ટિ કરે. ગાતો! ને બદલે ‘ઞાનોત્રં’ પાઠ પણ છે. – પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ આ જ વાતની પુષ્ટિ કરતા ધર્મસંગ્રહના કર્તા પણ કહે છે કે— દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગ મૂકવા છતાં પણ જો નિદ્રાથી ઘેરાયેલો રહેલો હોય તો પોતાના નિઃશ્વાસને રોકી રાખે અને તેમ કરવા દ્વારા પણ નિદ્રા દૂર કરીને પ્રકાશ આવતો હોય તે બારણા તરફ જુએ. પ્રથમ ત્રણ ૦ હવે ગાથા-૪ માં સાગારી અણસણને જણાવે છે ગાથામાં માત્ર શયનવિધિ અને સંથારાની ભૂમિકા વ્યક્ત કરી, આ ગાથામાં તાત્ત્વિક ભૂમિકા રજૂ કરે છે કે, કદાચ નિદ્રામાં જ મૃત્યુ થઈ જાય તો શું કરવું ? • બડ઼ ને દુઙ્ગ નમાઝો રૂમલ્સ વેહસ્ત માફ રયળી! - જો મારા આ દેહનું આ રાત્રિએ જ મરણ થાય તો... . ० जइ જો ૦ મે - મારું આ ૦ પમાઓ - પ્રમાદ, મૃત્યુ ० इमस्स • इमाइ रयणी આ જ રાત્રિને વિશે. - • આ સમગ્ર કથનમાં મૂળ વાત નિદ્રામાં જ મૃત્યુ થાય તો શું ? તે અંગે છે • ગાહાર-હિ-વૈદું સવ્વ તિવિદ્વેગ વોસિરિઙ્ગ - આહાર, ઉપધિ અને દેહ એ સર્વેને ત્રિવિધે વોસિરાવું છું. - - ૭ દુઙ્ગ - થાય ૦ વેહલ્સ - દેહનું ० आहार આહાર જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર પ્રકારે છે. ૦ હિ - એટલે ઉપધિ - જેમાં વસ્ત્ર, પાત્ર, ઉપકરણાદિનો સમાવેશ થાય. ૦ વૈરૢ - દેહ એટલે શરીર, કાયા. ૦ સવ્વ - સર્વેને, આહાર-ઉપધિ અને દેહ એ બધાને. ० तिविण ત્રણ પ્રકારે. મન વડે, વચન વડે અને કાયા વડે. ૦ વોસિરિત્રં - વોસિરાવ્યું છે, ત્યાગ કર્યો છે. આ ગાથામાં સાગારી અનશનનો વિધિ રજૂ થાય છે. રાત્રિના સૂઈ ગયા પછી શક્ય છે કે ક્યારેક ઉંઘમાં જ મૃત્યુ પણ થઈ જાય. તો બધું જ વોસિરાવવા માટેનો અવસર મળે નહીં, વોસિરાવ્યા વિના જો જીવ બીજી ગતિમાં જાય તો તે વિશે અંતિમ આરાધનામાં કહ્યું છે કે, તેના જે દેહ, ઉપકરણ આદિ વોસિરાવ્યા વિનાના રહ્યા હોય તે સર્વેનો જે કંઈ સાવદ્ય ઉપયોગ થાય, તે સર્વેના અશુભકર્મનો બંધ મૃત્યુ પામનાર જીવને પણ લાગે, માટે શરીર સહિત સર્વે બાહ્ય વસ્તુઓને
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy