SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૩ ૨૦૩ કરવી જોઈએ, જેથી જયણાનું પાલન થાય. ૦ ગાથા-૩ પૂર્વાર્ધનો સાર : પગને સંકોચે ત્યારે ઉરુ અને ઢીંચણના સાંધાનું અને પડખું ફેરવે ત્યારે શરીરનું પ્રતિલેખન કરે. – આ જ વાત ધર્મસંગ્રહના કર્તાએ પણ “સાધુ-ધર્મ'નું વિવેચન કરતી વખતે નોંધી છે. વધારામાં તેઓ જણાવે છે કે, “આ શયનવિધિ જાણવી. * હવે ગાથા-૩ના ઉત્તરાર્ધમાં - “જો જાગવું પડે તો શું કરવું ?” તે અંગેની શાસ્ત્રીય વિધિનો નિર્દેશ કરતા સૂત્રકાર લખે છે કે • દ્વા િડવડો તાસ નિરંમણાની - (જો કાયચિંતા આદિ કારણે ઉઠવું - જાગવું પડે તો) દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે અને શ્વાસનું રોધન કરે પછી સ્વસ્થ થાય ત્યારે પ્રકાશવાળા ભાગ - દરવાજા તરફ જુએ. ૦ યુવ્વાડું ડવો - દ્રવ્યાદિનો ઉપયોગ, દ્રવ્યાદિનો વિચાર કરવો. - દ્રવ્યાદિ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. – ઉવઓગ એટલે ઉપયોગ, વિચારણા કરવી તે. – જો કાયચિંતા માટે ઉઠવું પડે તો નિદ્રાના નિવારણને માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મનોમન ચિંતવના કરે. – આ સંબંધમાં “ઓઘનિર્યુક્તિ" નામક મૂળ આગમ સૂત્રની વૃત્તિમાં વૃત્તિકાર મહર્ષિ શ્રી દ્રોણાચાર્યજીએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે– જો લઘુનીતિ, વડી નીતિ અર્થાત્ મળ-મૂત્ર વિસર્જન આદિ કારણે રાત્રે જાગવું પડે - ઉઠવું પડે તો તે આ પ્રમાણે વિધિ કરે– (૧) દ્રવ્યથી તે વિચાર કરે કે હું કોણ છું ? (૨) ક્ષેત્રથી એમ વિચાર કરે કે હું ક્યાં છું ? ઉપર કે નીચે ? (૩) કાળથી એમ વિચાર કરે કે હાલ કયો સમય છે ? (૪) ભાવથી એમ વિચાર કરે કે મારી અવસ્થા શું છે ? શું હું કાયચિંતાથી પીડિત છું કે કેમ ? એટલે કે મારે અંડિલ-માત્રાને માટે અર્થાત્ મળ-મૂત્ર વિસર્જનને માટે જવાની જરૂર છે કે કેમ ? – આ પ્રમાણેની જે વિચારણા તેને દ્રવ્યાદિ ઉપયોગ કહે છે. ૦ સાલ નિવૃંમM - ઉચ્છવાસનો રોધ કરવો કે રોકવો. – જો કે અહીં પાઠ ભેદ છે. ઝસાસ ને બદલે નિસાસ એવો પાઠ પણ ઓઘનિર્યક્તિની વૃત્તિમાં નોંધાયેલ છે. -- અર્થની દૃષ્ટિએ અને ક્રિયાની દૃષ્ટિએ આ બંને શબ્દો જુદા છે. - સાસ એટલે ઉચ્છવાસ અને નિસાસ એટલે નિ:શ્વાસ. - ઉચ્છવાસનો અર્થ છે ઊંચો શ્વાસ એટલે કે શ્વાસ લેવો તે. - નિઃશ્વાસનો અર્થ છે નીચો શ્વાસ એટલે કે શ્વાસ મૂકવો તે. - બંને પદને બદલે આપણે માત્ર “શ્વાસ" શબ્દ ગ્રહણ કરીને જ અર્થ
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy