SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ કરાય છે. • ત્રિદં પસદં રામ - ચાર પ્રકારના પૌષધને વિશે હું સ્થિર થાઉ છું. ૦ વલ્વિયં - ચાર પ્રકારના. ઉપરોક્ત જે (૧) આહાર, (૨) શરીર સત્કાર, (૩) બ્રહ્મચર્ય અને (૪) અવ્યાપાર કહ્યા તે ચાર પ્રકાર ૦ પોસહં - પૌષધ, પૌષધ વ્રત. (જેની વ્યાખ્યા પૂર્વે અપાઈ છે.) ૦ ટાઈમ - રહું છું, સ્થિર થાઉ છું, આરાધના સ્થિત છું. – જો કે વર્તમાન પ્રણાલિ અને આ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે – એક માત્ર આહારપૌષધમાં જ સર્વથી કે દેશથી પ્રત્યાખ્યાનની છૂટ છે. બાકીના ત્રણે અર્થાત્ શરીર સત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર પૌષધમાં તો સર્વથી જ પ્રત્યાખ્યાન કરવાનું છે, તેમાં દેશથી પ્રત્યાખ્યાનની કોઈ છૂટ લેવાતી નથી. તેથી આ પ્રતિજ્ઞા સૂત્ર મુજબ હું ચારે પ્રકારના પ્રત્યાખ્યાનમાં સ્થિર થાઉં છું. – વળી આ ચારે પ્રત્યાખ્યાન હાલ એક સાથે જ કરાવાય છે. – બીજું, હવે પછી સૂત્રમાં પૌષધના કાળનું કથન આવે છે. જેમકે દિવસનો, રાત્રિનો ઇત્યાદિ. તેના અનુસંધાને એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે, ચાર પ્રકારના પૌષધમાં (૧) શરીર સત્કાર, (૨) બ્રહ્મચર્ય, (૩) અવ્યાપાર. આ ત્રણ પૌષધ તો રાત્રિ કે દિવસના સર્વથા પ્રત્યાખ્યાન થકી જ થાય છે, પણ ‘આહાર પૌષધ' છે તે માત્ર દિવસના પૌષધમાં જ સર્વથી કે દેશથી એમ બે પ્રકારે છે, જો રાત્રિનો જ પૌષધ હોય તો રાત્રિભોજન ત્યાગ ફરજિયાત હોવાથી રાત્રિપૌષધમાં ‘આહાર ત્યાગરૂપ પોસડ' સર્વથી કરવાનો હોય છે. • નવ દિવ ૩રરત્ત પન્નુવામિ - દિવસ પર્યત કાળ કે અહોરાત્ર પર્યત કાળ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી, હું આ પૌષધવતને સેવીશ-આરાધીશ. ૦ નાવ એટલે જ્યાં સુધી. આ પદ દ્વારા પૌષધવત’ આરાધનાનો સમય કે કાળ મર્યાદાનું નિર્ધારણ કરાયેલ છે. – જેમ રેમિ ભંતે સૂત્ર-૯માં ‘ના’ શબ્દ વપરાયેલ છે, તે રીતે જ અહીં પણ પૌષધ પ્રતિજ્ઞા માટે કાળમર્યાદા સૂચવવા આ શબ્દ મૂક્યો છે. જે પૌષધ કેટલી કાય મર્યાદા માટે ગ્રહણ કરવાનો છે તે જણાવે છે. જેમ - “કરેમિ ભંતે સામાઇયે" સૂત્રમાં નાવ પછી “નિયમ' શબ્દ વપરાય છે તેમાં પણ પૌષધ અંગીકાર કર્યો હોય તો ‘નાવ’ પછી ‘પોસહં' શબ્દ બોલવાનો હોય છે. તેનો અર્થ છે - જ્યાં સુધી “હું પૌષધની આરાધના કરું ત્યાં સુધી'' સામાયિક વ્રતને સેવીશ. પણ પૌષધવ્રતની આરાધના કજ્યાં સુધી કરવાની ? તે કહે છે– ૦ વિવ - દિવસ પૂરો થાય ત્યાં સુધી. પૌષધ પ્રતિજ્ઞાની કાળમર્યાદાનો આ એક ભેદ છે. તેમાં દિવસના ચાર પ્રહરનો પૌષધ ગણાય છે, વાસ્તવમાં તે રાઈ પ્રતિક્રમણથી સંધ્યાકાળના દેવસિ પ્રતિક્રમણ સુધીનો કાળ ગણાય છે. સંધ્યાકાલીન પ્રતિક્રમણ બાદ પૌષધ પારી શકાય છે.
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy