SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પોસહ-પ્રતિજ્ઞા' સૂત્ર ૧૬ ૩ સૂત્ર-પર, - 'પોસહ-પ્રતિજ્ઞા' સૂત્ર પૌષધ લેવાનું સૂત્ર v સૂત્ર-વિષય : આ સૂત્રમાં પૌષધનું પ્રત્યાખ્યાન કે પ્રતિજ્ઞા છે, તેમાં ચાર પ્રકારના પૌષધનું પ્રત્યાખ્યાન કરાય છે, તે કઈ રીતે કરવું ? તે કહ્યું છે. - સૂત્ર-મૂળ :કરેમિ ભંતે ! પોસહં, આહાર-પોસહં દેસઓ સવ્વઓ, સરીર-સક્કાર-પોસહં સવ્વઓ, બંભર્ચર-પોસહં સવ્વઓ, અવ્વાવાર-પોસહં સવઓ, ચઉવિહં પોસહં ઠામ, જાવ-દિવસ (જાવ-અહોરાં) પજુવાસામિ, દુવિહં તિવિહેણ, મણેણં વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ તસ્ય ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિરામિ, અખ્ખાણ વોસિરામિ. - સૂત્ર-અર્થ :હે ભદંત ! (હે પૂજ્ય !) હું પૌષધ કરું છું. તેમાં - આહાર પૌષધ દેશ'થી કે ‘સર્વથી કરું છું, શરીર સત્કાર પૌષધ “સર્વથી કરું છું, બ્રહ્મચર્ય પૌષધ “સર્વથી કરું છું, અવ્યાપાર પૌષધ “સર્વથી કરું છું. આ રીતે ચાર પ્રકારના પૌષધમાં હું સ્થિર થાઉ છું. દિવસ, અહોરાત્ર (કે રાત્રિપર્યન્ત) હું આ પ્રતિજ્ઞાની પÚપાસના કરું - આરાધના કે સેવના કરું, ત્યાં સુધી મન, વચન અને કાયા વડે સાવદ્ય પ્રવૃત્તિ કરું નહીં - કરાવું નહીં. હે ભગવંત ! અત્યાર સુધી થયેલ તે પ્રકારની અશુભ પ્રવૃત્તિથી હું નિવૃત્ત થાઉં છું. (તે પ્રવૃત્તિને પ્રતિક્રમું છું). તેવી અશુભ પ્રવૃત્તિઓની હું નિંદા કરું છું (તેને ખોટી ગણું છું) – તેવી ભૂલોનો આપની (ગુરુની) સમક્ષ એકરાર કરું છું.
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy