SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ “મન્નત જિણાણ' સક્ઝાય-અર્થ ૧૩૭ (૪) - (૨૬) ઉપશમભાવ રાખો, (૨૭) હેયોપાદેયનો વિવેક રાખો, (૨૮) સંવરભાવ ધારણ કરો, (૨૯) ભાષા સમિતિ પાળો, (૩૦) છ કાયના જીવો પ્રતિ કરૂણા રાખો, (૩૧) ધર્મીજનોનો સંસર્ગ રાખો, (૩૨) ઇન્દ્રિયોનું દમન કરો, (૩૩) ચારિત્રના પરિણામ રાખો. (૫) – (૩૪) સંઘ પરત્વે બહુમાન રાખો, (૩૫) ધાર્મિક પુસ્તકો લખાવો અને (૩૬) તીર્થની પ્રભાવના કરો. શ્રાવકના આ છત્રીસ કર્તવ્યો છે, જે સદ્ગુરુના ઉપદેશથી નિત્ય જાણવા યોગ્ય છે. | શબ્દજ્ઞાન :મત્રહ - માનો જિહાણ - જિનેશ્વરોની આણું - આજ્ઞાને મિચ્છે - મિથ્યાત્વને પરિહર - ત્યાગ કરો ઘર - ધારણ કરો સમ્મત્ત - સમ્યક્ત્વને છવ્વીહ - છ પ્રકારના આવસ્સયંમિ - આવશ્યકોમાં ઉજૂનો - ઉદ્યમવંત હોઈ - થાઓ પાદિવસ - નિત્ય, હંમેશા પલ્વેસુ - પર્વ દિવસોમાં પોસહવયં - પૌષધ વ્રત કરો દાણ - દાન આપો સીલ - શીલ પાળો તવો - તપ કરો અ - અને, વળી ભાવો - ભાવના ભાવો સઝાય - સ્વાધ્યાય કરો નમુક્કારો - નવકાર ગણો પરોવયારો - પરોપકાર કરો અ - અને, વળી જયણા - યતના, જીવરક્ષા જિણપૂઆ જિન-પૂજા કરો જિણથણણ - જિનસ્તુતિ કરો ગુરુથુઆ - ગુરુસ્તુતિ કરો સાહખેિઆણ - સાધર્મિકોનું વચ્છd - વાત્સલ્ય કરો વવહારસ્સ ય - અને વ્યવહારની સુદ્ધી - શુદ્ધિ રાખો રહદત્તા - રથયાત્રા કાઢો તિત્વજત્તા - તીર્થયાત્રા કરો ય - અને વિસમ - ઉપશમ ભાવ વિવેક - હેયોપાદેય જ્ઞાન સંવર - સંવરણ કરવું તે ભાસા સમિઈ - ભાષા સમિતિ છ જીવ - છ કાયના જીવોની કરુણા - કરુણા, દયા ધમ્પિઅજણ - ધાર્મિક લોકોનો સંસખ્ખો - સંસર્ગ, સોબત કરણ-દમો - ઇન્દ્રિય દમન ચરણ પરિણામો - ચારિત્ર ભાવના સંઘોવરિ - સંઘની ઉપર બહુમાણો - બહુમાન રાખો પુન્જયલિહણ - પુસ્તક લખાવો પભાવણા - પ્રભાવના કરો તિર્થે - તીર્થની, શાસનની સફાણ - શ્રાવકોના કિચ્ચમેવ - આ કર્તવ્યો છે નિચ્ચે - નિત્ય, હંમેશાં
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy