SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભરડેસર-સજ્ઝાય-વિવેચન ૧૨૭ (૫૦) શ્રેયાંસકુમાર : બાહુબલિના પૌત્ર શ્રેયાંસકુમારે પૂર્વભવે પાળેલ ચારિત્રની જાતિસ્મરણ જ્ઞાનથી સ્મૃતિ થતા ભગવંત ઋષભદેવને અક્ષયતૃતિયાના દિને વર્ષીતપનું પારણું નિર્દોષ અને પ્રાસુક ઇસુરસથી કરાવેલ. (જો કે તે કોના પુત્ર હતા તે વિશે આગમોમાં ત્રણ મતો છે.) તેમનો અને ભગવંત ઋષભદેવનો આઠ-આઠ ભવોનો દીર્ધ સંબંધ હતો. (૫૧) કૂરગડુ મુનિ : ધનદત શ્રેષ્ઠીના આ પુત્રે ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધેલી. પૂર્વના ભવના તિર્યચપણાને લીધે તેમને સુધાવેદનીયનો ઘણો જ ઉદય વર્તતો હતો. પણ ક્ષમાનો અદભુત ગુણ હતો. પ્રાતઃકાળ થતાં જ ગૌચરી નીકળતા એક ઘડો ભરી ભાત વહોરી લાવતા. પરિણામે તે “કૂરગડૂ' નામે પ્રસિદ્ધ થયા હતા. કોઈ વખતે ગૌચરી માટે બેઠા હતા. માસક્ષમણના તપસ્વી સાધુએ તેમના પાત્રમાં બળખો ફેંક્યો. કૂરગડૂમુનિ ક્ષમાભાવ ધારણ કરીને રહ્યા. ક્ષમાભાવથી તેમને કેવળજ્ઞાન થયું. (૫૨) શસ્વૈભવ સૂરિ : દશવૈકાલિક આગમના રચયિતા, મનકમુનિના પિતા અને પ્રભવસ્વામીના શિષ્ય તથા પટ્ટધર એવા શય્યભવસ્વામી થયા. જેમની પાટે યશોભદ્રસૂરિ આવ્યા. પૂર્વાવસ્થાના કર્મકાંડી બ્રાહ્મણ હતા. દીક્ષા લઈને ચૌદપૂર્વધર બન્યા. કાળધર્મ પામીને સ્વર્ગ ગયા. મહાનિશીથસૂત્રમાં પણ તેમની પ્રશસ્તી થયેલી છે. (આગમોમાં ઠાણાંગ વૃત્તિ, નિશીથભાષ્ય ચૂર્ણિ, મહાનિશીથ, આવશ્યક, પિંડનિર્યુક્તિ, દશવૈકાલિક વૃત્તિ આદિ અનેકમાં શય્યભવસૂરિનો ઉલ્લેખ છે.) (૫૩) મેઘકુમાર :- (નાયાધમ્મકથામાં આ કથા છે.) જૈનશાસનમાં આ અતિ પ્રસિદ્ધ પાત્ર છે. શ્રેણિક રાજાની એક રાણી ધારિણીના પુત્ર મેઘે ભગવંત મહાવીરની વાણીથી વૈરાગ્ય વાસિત થઈને દીક્ષા લેવાનો મનોરથ કર્યો. માતા ધારિણી સાથે અનુમતિ માટે ઘણો જ દીર્ઘ સંવાદ થયો, અંતે નિરૂત્તર બનેલા માતા-પિતાએ અનુમતિ આપતા મેઘકુમારે દીક્ષા લીધી. પરંતુ દીક્ષાની પહેલી જ રાત્રે સ્વાધ્યાય, વિચાર આદિ ભૂમિએ જતા-આવતા તેમના પગની ધૂળથી મેઘમુનિનો સંથારો ભરાઈ ગયો. રાત્રે ઊંઘ ન આવતા, તેમણે દીક્ષા છોડવા વિચાર્યું. સવારે “ધર્મસારથી” એવા ભગવંત મહાવીરે તેને પૂર્વભવને જણાવીને પ્રતિબોધ કર્યા. મેઘમુનિએ ઘોર અભિગ્રહ ધારણ કરી. નિરતિચાર ચારિત્ર પાલન કર્યું. તે સ્વર્ગે ગયા. ત્યાંથી મહાવિદેહે જઈ મોલે જશે. ૦ આ રીતે મહાસત્ત્વશાળી ત્રેપન મહાત્માનો સામાન્ય પરિચય આપ્યો છે. આ અને આવા સર્વે મહાત્માઓ અમોને સુખ આપો. હવે મહાસતીઓનો પાત્ર પરીચય આપીએ છીએ(૧) સુલતાશ્રાવિકા :સુલસા નામથી બે શ્રાવિકાની કથા છે. તેમાં અહીં અંબઇ પ્રતિબોધક
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy