SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ બીજી ગાથામાં શ્રી પાર્શ્વનાથ ભગવંત મનોવાંછિત ફળની સિદ્ધિ કરે - એવી જે હાર્દિક અભિલાષા વ્યક્ત કરાઈ તેમાં ભક્તિભાવની તો મુખ્યતા છે જ. તદુપરાંત આ ગાથામાં ભગવાનના બાહ્ય સ્વરૂપ દેહની ચિંતવના દ્વારા રૂપસ્થ ધ્યાનની વિચારણા પણ અંતર્ભૂત થયેલી છે. ૦ આ સૂત્ર વિશે બીજો પાઠ : પ્રબોધ ટીકા કર્તાએ આ સૂત્રનો એક પાંચ ગાથાવાળો પાઠ પણ નોંધ્યો છે. જેની પહેલી ગાથા તો પ્રસ્તુત સૂત્રની પહેલી ગાથાને જ મળતી આવે છે. બીજી ગાથામાં અન્ય વિશેષણો છે, ત્રીજી ગાથામાં પ્રસ્તુત સૂત્રની બીજી ગાથાને મળતો આવતો જ પાઠ છે. ચોથી ગાથામાં અન્ય વિશેષણો છે, પાંચમી ગાથામાં સૂત્ર પઠનનું ફળ અને કર્તાનું નામ જણાવે છે. તેમાં કહ્યું છે કે– “જેઓ આ સ્તુતિનું મન, વચન, કાયાથી ત્રિકાળ ધ્યાન કરે છે તેઓ ઘણી જ સંપત્તિને પ્રાપ્ત કરે છે.’’ ૧૦૪ ભક્તિપૂર્વક ભદ્રબાહુ સ્વામીએ આ સ્તુતિની રચના કરી છે. (જો કે ભદ્રબાહુ સ્વામીની રચના હોવાનું પ્રમાણ બીજા કોઈએ આપ્યું હોવાનું અમારી જાણમાં નથી, પણ આ રચના પ્રાચીન હોય તેમ ચોક્કસ જણાય છે.) આ સ્તુતિને અંતે એક મંત્ર આપેલ છે, જે કંઈક આવો કહી શકાય– “નમો જિણપાસ વિહર ધરણિંદ પદ્માવતી મંદિયં ચરણ; સુહ શુદ્ધિ બુદ્ધિ સંપઈ કુરુ કુરુ શ્રી પાસજિણ-ફૂડ સ્વાહા.'' = સૂત્ર-નોંધ : - આ સૂત્રની ભાષા અપભ્રંશ (પ્રાકૃત) છે. આવશ્યકાદિ આગમોમાં તેનું કોઈ આધાર સ્થાન મળતું નથી. અન્ય કોઈ આધાર સ્થાન અમારી જાણમાં નથી. આ બંને ગાથાના છંદ માટે પહેલી ગાથા ગાથા ‘“અડિધય’’ હોવાની એક નોંધ જોવામાં આવેલી છે. — ‘“પાકુલક'' અને બીજી X-X
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy