SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ પાપસ્થાનકોનો ઉલ્લેખ કરાયેલો છે. – પરંતુ આ અઢાર પાપસ્થાનકમાં કિંચિત્ પાઠભેદ છે. છઠા પાપસ્થાનક રૂપે તેમાં રાત્રિભોજનનો ઉલ્લેખ છે અને રતિ-અરતિ નામક પાપસ્થાનક તેમણે નોંધેલ નથી. – આ વાતની નોંધ, પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં પણ કરી છે, ત્યાં લખ્યું છે કે, “સ્થાનાંગ સૂત્રમાં રાત્રિભોજન પાપસ્થાનકમાં ગણેલ નથી. પરંતુ પરપરિવાદની આગળ રતિ-અરતિને ગણેલ છે. ૦ આ સૂત્રનો પ્રત્યક્ષરૂપે ઉપયોગ માત્ર પ્રતિક્રમણ ક્રિયામાં થાય છે, વળી આ સૂત્ર શ્રાવકો જ બોલે છે, શ્રમણો બોલતા નથી. શ્રાવકો પણ પૌષધ કર્યો હોય તો આ સૂત્ર બોલતા નથી. - શ્રાવકો પ્રતિક્રમણમાં સાત લાખ સૂત્રની જોડે આ અઢાર પાપસ્થાનક સૂત્ર બોલે છે. ૦ આ અઢાર પાપસ્થાનકને નામોચ્ચારપૂર્વક પ્રાકૃત ભાષામાં શ્રમણો તથા રાત્રિ પૌષધવ્રતધારી શ્રાવકો જરૂર બોલે છે, પણ તે “સંથારાપોરિસી' ભણાવે ત્યારે બોલાય છે. | સૂત્ર-નોંધ :– આ સૂત્ર ગુજરાતી ભાષામાં છે. – આ સૂત્રના આધારસ્થાનરૂપે સ્થાનાંગ સૂત્ર-૪૮, ભગવતીજી સૂત્ર-૯૪, ઉજવાઈ સૂત્ર-૩૪, (થોડા ફેરફાર સાથે) પન્નવણા સૂત્ર-પ૨૫ (માં ‘ક્રિયા' સ્વરૂપે) ઇત્યાદિ આગમો ગણાવી શકાય કેમકે તે બધામાં આ અઢાર પાપસ્થાનોનો જુદી જુદી રીતે ઉલ્લેખ જોવા મળે છે. - પ્રવચન સારોદ્ધાર કાર-૨૩લ્માં પણ ઉલ્લેખ છે. —X — —
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy