SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ (૨) જો ગુરુ બીજા કોઈ કાર્યમાં રોકાયેલા ન હોય તો શિષ્યને વંદન કરવાની રજા આપવા માટે “છળ કહે. (એ પ્રમાણે આવશ્યક સૂત્ર-૧૦ની વૃત્તિમાં પણ કહ્યું છે અને આવશ્યક નિર્યુક્તિ-૧૨૨૪માં પણ કહ્યું છે.). છài - અર્થાત્ “તારી ખુશી હોય તેમ કર - તારી ઇચ્છા મુજબ કર." આ પ્રમાણે ગુરુ કહે ત્યારે વંદન કરનાર અવગ્રહ બહાર એટલે કે સાડા ત્રણ હાથ દૂર ઉભા ઉભા જ આ પ્રમાણે કહે– • જુગાદિ ને મિડર્દિ- મિત અવગ્રહમાં પ્રવેશવાની મને અનુજ્ઞા આપશોજી. – આવશ્યક નિર્યુક્તિ-૧૨૧૮માં આ પદોને “અનુજ્ઞાપન સ્થાન રૂપે ઓળખાવેલ છે અર્થાત્ અવગ્રહમાં પ્રવેશવા માટે શિષ્ય ગુરુની અનુજ્ઞા માંગે છે. જેને આવશ્યક નિર્યુક્તિ-૧૨૨૦માં ભાવ અનુજ્ઞા અધિકાર કહ્યો છે. ૦ જુનાગઢ - અનુજ્ઞા આપો, અનુમતિ આપો, પરવાનગી આપો. – મન + જ્ઞા - અનુમતિ આપવી, સંમતિ આપવી. તેના પરથી આજ્ઞાર્થના બીજા પુરુષ બહુવચનમાં આ પદ બનેલું છે. તેનો અર્થ થાય છે - તમે મને અનુજ્ઞાઅનુમતિ આપો. – અહીં પ્રવેશ કરવા માટેની રજા માંગવામાં આવે છે. ૦ મે - મને, વંદન કરનાર પોતા માટે આ નિર્દેશ કરે છે. ૦ મિડમાë - મિત અવગ્રહમાં, અવગ્રહમાં પ્રવેશવા માટે, આપની મર્યાદિત ભૂમિમાં પ્રવેશ કરવા માટે. અહીં મિત અને નવગ્રહ બે શબ્દો જોડાયેલા છે. તેમાં મિત એટલે મર્યાદિત, માપેલો કે નિયત. અને વઘઈ એટલે ગુરુની આસપાસની શરીર પ્રમાણ ભૂમિ સામાન્ય રીતે શિષ્ય ગુરુથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર રહેવાનું હોય છે. પણ તેથી વધારે નજીક જવું. તેને અવગ્રહમાં પ્રવેશ કર્યો કહેવાય છે. તેથી ‘મિતાવગ્રહ' અર્થાત્ અવગ્રહની અંદર જવું કે ગુરુની મર્યાદિત ભૂમિમાં નજીક જવું. વરચક્ર વૃત્તિમાં જણાવે છે કે, આચાર્યશ્રીની ચારે દિશામાં તેમના શરીર પ્રમાણ બીજા શબ્દોમાં કહીએ તો સાડાત્રણ હાથ પ્રમાણ ભૂમિને અવગ્રહ કહે છે. તેમાં તેમની અનુમતિ વગર પ્રવેશ કરાય નહીં શિષ્ય જ્યારે આ પ્રમાણે મિત અવગ્રહમાં પ્રવેશ કરવા માટેની અનુજ્ઞા માંગે ત્યારે - ગુરુજી કહે છે “પુનાળામ” અર્થાત્ હું અનુજ્ઞા આપું છું - હું મિતાવગ્રહમાં પ્રવેશ કરવાની તને અનુજ્ઞા આપું છું. (આ પ્રમાણે આવશ્યક સૂત્ર-૧૦ની વૃત્તિ તથા આવશ્યક નિર્યુક્તિ-૧૨૨૪માં પણ જણાવેલ છે.) ત્યારપછી– નિલટિ - ગુરુવંદન સિવાયનો બીજો વ્યાપાર છોડીને. - પાપ વ્યાપારનો ત્યાગ કર્યો છે એવું સૂચવતો શબ્દ સંકેત - નિવેધ એટલે વર્જન અથવા છોડવું તે. આ નિવેધ' શબ્દ પરથી નૈથિી શબ્દ બન્યો છે. તેનો અર્થ છે – અશુભ પ્રવૃત્તિનો નિષેધ કરનારી ક્રિયા અર્થાત્ હું પાપકારક પ્રવૃત્તિનો ત્યાગ કરું છું.
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy