SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ – કાન, નાક વીંધવા, કાન નાક કાપવા, ખસી કરવી, પૂછડું ગલકંબલ આદિ કાપવા, ચામડી ઉતારવી તે સર્વે 'છવિચ્છેદ' કહેવાય છે. આ પહેલા અણુવ્રતનો ત્રીજો અતિચાર છે. ૦ રૂમાર - અતિભાર ભરવો તે. – કોઈપણ માણસ કે પશુ પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવવો તે અતિભાર કહેવાય. આ પહેલા અણુવ્રતનો ચોથો અતિચાર છે. – વહન કરવાની શક્તિને ધ્યાનમાં લીધા વિના તેના ઉપર ઘણાં જ ભારનું આરોપણ કરવું તે. ૦ મત્તપાવુચ્છા - ભોજન-પાનનો વિચ્છેદ કરવો તે. – સમય પ્રમાણે ખાવા-પીવા ન આપીને ભુખ્યા-તરસ્યા રાખવા તે. – મત્ત - એટલે ભોજન પાન એટલે પાણી વિછેર એટલે વિયોગ. આ પહેલા અણુવ્રતનો પાંચમો અતિચાર છે. આ પાંચ અતિચાર અપ્રશસ્ત ભાવે કે પ્રમાદના યોગથી થાય ત્યારે સમજવા. કેમકે જો ઇરાદાપૂર્વક કરે તો અનાચાર છે અને પ્રશસ્તભાવે થયેલ આચરણ અતિચારરૂપ થતું નથી. વધ-બંધન આદિ માટેનો વિધિ – આવશ્યકચૂર્ણિ અને યોગશાસ્ત્ર તથા ધર્મસંગ્રહ વૃત્તિમાં વધ બંધન આદિ પાંચે માટેનો વિધિ કહેલો છે. તે આ પ્રમાણે (૧) વધ વિધિ :- શ્રાવક પ્રથમ તો જિત-પરિષહ અર્થાત્ તેજસ્વી હોવો જોઈએ. જેને જોતાં જ પુત્ર વગેરે ભય પામીને બરાબર ચાલે. દાસ-દાસી, પશુઓ એવા રાખવાં કે વધ-બંધનાદિ કર્યા વિના પોતાની મર્યાદા પ્રમાણે વર્તે. તેમ છતાં તાડના-તર્જના કરવા પડે તે મર્મસ્થાનોને છોડીને કરે, જેથી તેના અંગોમાં ખોડખાંપણ ન આવે, મૃત્યુ ન પામે. (૨) બંધ-વિધિ - બંધન કરે તો લાંબા દોરડાથી અને નરમ ગાંઠથી બાંધે, જેથી બરાબર હાલી-ચાલી શકે. અગ્નિ વગેરેનો ઉપદ્રવ થાય તો ગાંઠને જલ્દીથી છોડી શકાય (૩છવિચ્છેદ વિધિ :- કોઈ વ્યાધિ વગેરેમાં અંગછેદ કરવો પડે તો ખૂબ દયાપૂર્વક કરે. (૪) ભારારોપણ વિધિ :- મુખ્યવૃત્તિએ તો શ્રાવકે એવો વ્યાપાર જ ન કરવો કે જેમાં મજૂરો કે પશુઓ પાસે ભાર વહેવડાવવાથી આજીવિકા ચાલે. છતાં કરવો પડે તો મજૂરો સુખેથી ઉપાડી શકે તેટલો જ ભાર તેના પાસે ઉપડાવવો. ભોજન સમયે તેમને છૂટા કરી દેવા ઇત્યાદિ. (૫) ભોજન-પાન વિચ્છેદ વિધિ :- અપરાધીને પણ તદ્દન ભુખ્યો ન રાખવો. ભોજન સમયે તેને જમાડીને શ્રાવકે જમવું. કદાચ રોગાદિકની શાંતિ માટે તેને ભુખ્યો રાખવો પડે તો રાખે પણ દયામાં કચાશ આવે તે રીતે અપરાધી સાથે
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy