SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૬ જાવંત કે વિ સાહૂ સૂત્ર સર્વ સાધુ વંદન સૂત્ર = સૂત્ર-વિષય :- આ સૂત્રમાં સર્વ કર્મભૂમિમાં રહેલા અર્થાત્ ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સર્વે સાધુને નમસ્કાર કરાયેલ છે. " સૂત્ર-મૂળ : જાવંત કે વિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ; સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. ॥ સૂત્ર-અર્થ : (1) ભરત, ભૈરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કોઈ સાધુ ત્રણ દંડથી અટકેલા છે તેઓને હું (મન, વચન, કાયાથી) ત્રિવિધે વાંદુ છું. ” શબ્દજ્ઞાન :જાવંત - જેટલા સાહૂ - સાધુઓ એરવય ઐરવત ક્ષેત્રમાં - અ - અને, (અન્યત્ર રહેલ) પણઓ - પ્રણત, નમેલો ત્રણ દંડથી તિદંડ ૬૧ કે વિ - કોઈ પણ ભરહ - ભરતક્ષેત્રમાં મહાવિદેહે - મહાવિદેહ ક્ષેત્રમાં સવ્વેસિ ર્સિ - તે સર્વેને તિવિહેણ વિરયાણં - ત્રણ પ્રકારે વિરામ પામેલાને – વિવેચન : આ સૂત્ર પણ ‘જંકિંચિ' અને ‘જાવંતિ ચેઇયાઇ'ની માફક એક નાનું સૂત્ર છે. જે રીતે તે સૂત્રોમાં જિનાલય અને જિનપ્રતિમાજીને વંદના કરાયેલ છે, તે રીતે આ સૂત્ર દ્વારા સાધુ ભગવંતોને વંદના કરાયેલ છે. સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ' સૂત્રમાં ઉત્કૃષ્ટા મુનિ ભગવંતોની અને વર્તમાનકાળે વિહરમાન મુનિ ભગવંતોની સંખ્યા દર્શાવી છે. પણ આ સૂત્રમાં કર્મભૂમિમાં વસતા સર્વે મુનિ મહારાજોની વંદના કરાયેલ છે. આ સૂત્રનો ઉલ્લેખ પણ અન્ય કોઈ આગમોમાં કે આવશ્યક સૂત્ર નામના આગમમાં ક્યાંય પણ થયેલ નથી. નિર્યુક્તિમાં પણ આ સૂત્રનું કોઈ સૂચન જોવા મળતું નથી. માત્ર વંદિત્તુ સૂત્રની ગાથા-૪૫ મુજબ આ સૂત્ર જણાય છે. • ખાવંત - જેટલા, આ સંખ્યાવાચી શબ્દ છે. જે ‘સાદૂ’ શબ્દની સંખ્યા નિર્ધારણ કરવા માટે વપરાયેલા વિશેષણ સ્વરૂપ છે.
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy