________________
૩૦૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
– ગાથા-૬માં બાહ્ય તપના અનશન આદિ છ ભેદો બતાવ્યા. – ગાથા-૭માં અત્યંતર તપના પ્રાયશ્ચિત્ત આદિ છ ભેદો બતાવ્યા.
૦ બંને તપનું મોક્ષમાર્ગમાં આગવું મહત્ત્વ છે. શરીરને માટે બાહ્ય તપની ઉપયોગીતા છે, આત્માને માટે અત્યંતર તપની ઉપયોગીતા છે. કેમકે આત્મા એ અત્યંતર તત્ત્વ છે અને શરીર એ બાહ્ય તત્ત્વ છે. તીર્થંકર પરમાત્મા તે જ ભવે મોક્ષે જવાના હોવા છતાં દીક્ષા વખતે, કેવળજ્ઞાન પર્યન્ત અને નિર્વાણ પૂર્વે છઠ, અઠમ આદિ અનશન તપથી યુક્ત હોય જ છે. તેમજ પરમ શુક્લ ધ્યાનપૂર્વક કાયાનો સર્વથા ત્યાગ થયા વિના મોક્ષે જવાતું નથી.
– અહીં તપના ભેદરૂપ આચાર વર્ણવ્યો, આ આચારની પોતાના સામર્થ્યઅનુસાર પરીપાલના ન કરવાથી અતિચાર લાગે છે.
હવે આઠમી અને છેલ્લી ગાથામાં વિર્યાચારને જણાવે છે કે જે વીર્યાચારના પાલન થકી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ બધાં જ આચારોમાં સામર્થ્ય, શક્તિ, પરાક્રમને ફોરવીને જીવ સર્વ કોઈ આરાધના કરી શકે છે.
- ૩ળદિન-વ-વરિો - જેણે બળ અને વીર્ય છૂપાવ્યું નથી તે.
– આ સમગ્ર ગાથા દસવૈકાલિક નિર્યુક્તિમાં-૧૮૭મી ગાથારૂપે છે. તેના પહેલા ચરણની અહીં વિવેચના કરીએ છીએ.
– નિ + પૂ - છુપાવવું. તેના પરથી શબ્દ બન્યો નિહિત - છુપાવેલું. – નિપૂદિત - એટલે ન છુપાવેલું (પણ શું ન છુપાવેલું ?) – વન - બળ, શારીરિક શક્તિ. – ભગવતીજી વૃત્તિ-સૂત્ર-૪રમાં વત્ત શબ્દનો અર્થ શારીરઃ પ્રાણઃ કર્યો છે. – વીર્ય - આત્માનો ઉત્સાહ, મનોબળ.
– ભગવતીજી સૂત્ર-૪રની વૃત્તિમાં વીર્ય શબ્દનો અર્થ કરતા જણાવ્યું કે, વાર્થ (ત) નીવોત્સાહૈિ.' વીર્ય અર્થાત્ જીવનો ઉત્સાહ
૦ આ રીતે શારીરિક અને માનસિક બળનો સદાચારમાં ઉપયોગ કરનાર તે અનિગુલિત બલ-વીર્ય કહેવાય છે.
• પર&મ - પરાક્રમ કરે છે, પ્રબલ ઉદ્યમ કરે છે. – પરા - વિષય,
મ - ઉદ્યમ, પ્રયત્ન – વિશેષ પ્રયત્ન કરવો તે “પરાક્રમ”. – વિશિષ્ટ અર્થમાં ઇષ્ટ ફળને સાધનારો જે પુરુષાર્થ તે પરાક્રમ'.
– શત્રુનું નિરાકરણ કરનારી જે ક્રિયા તે પરાક્રમ' (અહીં “શત્રુ' શબ્દથી અત્યંતર શત્રુને ગ્રહણ કરવા.)
• ગો - જે, (જે વ્યક્તિ , જે આરાધક) • મહત્ત - યથોક્ત, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, શાસ્ત્રવિહિત. – યથા + ઉક્તમ્ - શાસ્ત્રની આજ્ઞા અનુસાર કરવું તે. • સાઉો - સારી રીતે યોજાયેલો, સાવધાન થઈને જ્ઞાનાદિમાં પ્રવૃત્ત