________________
૫૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – સામાયિક અધિકારી :
સામાયિક ચાર પ્રકારે છે – સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ અને શ્રત. અરિહંતો આ ચારની જ પ્રરૂપણા કરે છે. તે સિવાય અન્ય કોઈ સામાયિક હોતી નથી. મનુષ્યો આ ચારમાંની કોઈપણ સામાયિક અંગીકાર કરી શકે છે, તિર્યંચો સર્વવિરતિ સિવાયની બાકી ત્રણમાંની કોઈપણ સામાયિક અંગીકાર કરી શકે છે. દેવોને સમ્યકત્વ કે શ્રત સામાયિક હોય છે.
અરિહંતો “નમસ્તીર્ધાય” એમ બોલી, પ્રણામ કરીને દેવ, મનુષ્ય અને સંજ્ઞીતિર્યંચ પ્રાણી સમજી શકે તેવી, યોજન પ્રમાણ સંભળાતી, જન-સાધારણ ભાષામાં દેશના આપે છે. તેઓ અર્ધમાગધી ભાષા બોલે છે. શ્રાવિકા અને દેવોની પણ અર્ધમાગધી ભાષા હોય છે. અરિહંતની વાણી આર્ય, અનાર્ય તથા સર્વે સંજ્ઞી પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમે છે. તેવો અરિહંતોનો અતિશય હોય છે.
• ભગવંત તીર્થને પ્રણામ શા માટે કરે છે ? તીર્થનો અર્થ શ્રત છે. આ શ્રુતજ્ઞાનથી ભગવંતનું તીર્થકરત્વ હોય છે. અરિહંતો શ્રુતજ્ઞાન વડે જ ધર્મ કહે છે. લોકમાં તીર્થ (શ્રત)નું પૂજિતપણું હોવાથી અરિહંતને પણ તે પૂજ્ય છે. વિનયકર્મને માટે પણ આ પ્રવૃત્તિ જરૂરી છે.
– રૂપ દ્વાર :- (અરિહંતનું રૂપ કેવું હોય છે ?)
બધાં જ દેવો એકઠા થાય અને સુંદર રૂપ નિર્માણ માટેની તેમની સર્વશક્તિનો ઉપયોગ કરે તો પણ અરિહંત પરમાત્માના પગના અંગુઠા જેટલું રૂપ પણ વિદુર્વવાને તેઓ સમર્થ નથી.
– તીર્થકરના રૂપથી અનંતગુણ હીન ગણધરનું રૂપ હોય છે. – ગણધરના રૂપથી અનંતગુણહીન આહારકશરીરીનું રૂપ હોય છે. – આહારક દેહના રૂપથી અનંતગુણહીન અનુત્તર દેવોનું રૂપ હોય છે.
– અનુત્તરવાસી દેવોના રૂપથી અનંતગુણ - અનંતગુણ હીન રૂપ અનુક્રમે રૈવેયક દેવ, અય્યત દેવ - યાવત્ - સૌધર્મદેવનું રૂપ હોય
– સૌધર્મકલ્પના દેવના રૂપ કરતા અનંતગુણ - અનંતગુણ હીન રૂપ અનુક્રમે ભવનપતિદેવનું. જ્યોતિષ્ક દેવનું, વ્યંતરદેવનું હોય છે.
– વ્યંતર દેવના રૂપથી અનંતગુણ હીન રૂપ અનુક્રમે ચક્રવર્તીનું. તેનાથી વાસુદેવનું વાસુદેવથી બળદેવનું, બળદેવથી માંડલિક રાજાનું રૂપ અનંતગુણ હીન હોય છે. શેષ જનપદ લોકોનું રૂપ તેનાથી પણ ઉતરતું-ઉતરતું હોય છે.
તો વિચારો કે ભગવંતનું રૂપ કેવું ઉત્કૃષ્ટ કક્ષાનું હશે ?
અરિહંતને નામકર્મના ઉદયથી અનુત્તર એવા સંઘયણ, સંસ્થાન, રૂપ, વર્ણ ગતિ, સત્ત્વ, સાર (જ્ઞાનાદિ), સુગંધી શ્વાસોચ્છવાસ, ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને લોહી પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયો, શરીર, અંગોપાંગ આદિ પણ અનુત્તર હોય છે. અરિહંત જેવી શુભ ઉદયવાળી નામકર્મની પ્રકૃતિ અન્ય કોઈપણ જીવની હોતી નથી. ગોત્રાદિ પણ તેમને ઉચ્ચ જ હોય. છઘWકાળે પણ અરિહંતના શબ્દ, ગંધ, રસ,