________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૩૦૫
સ્તોત્રમાં પણ કહી છે. સૂત્ર-૧૪માં ગાવંતિફાવું માં સંખ્યા દર્શાવ્યા વિના તથા દેવેન્દ્રસૂરિ રચિત “સીસી વેફય-વિ' શાશ્વત ચૈત્યસ્તવમાં પણ ઉલ્લેખ છે. ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ-૨૩માં પણ તેનો ઉલ્લેખ છે.
-૦- ચોથી ગાથામાં શાશ્વતા ચૈત્યોની સંખ્યા જણાવ્યા બાદ હવે પાંચમી ગાથામાં શાશ્વતી પ્રતિમાજીઓની સંખ્યા જણાવી, તેને વંદના કરી છે –
(અહીં પણ એક વાત સ્મરણમાં રાખવી કે, વ્યંતર અને જ્યોતિષ્કના સ્થાનોમાં રહેલ અસંખ્યાત ચૈત્ય-જિનાલયમાં રહેલા અસંખ્યાત પ્રતિમાજીનો ઉલ્લેખ નથી, કેમકે જેની સંખ્યા ગણી શકાય છે તેવા જ શાશ્વત ચૈત્યોની શાશ્વત પ્રતિમાની નોંધ શક્ય છે. તો પણ ઉપલક્ષણથી તે અસંખ્યાત પ્રતિમાઓની વંદના સમજી લેવી.)
• પનરસ-કોડિ-સયાઇં....ગાથા (અહીં પણ સંખ્યાવાચી શબ્દો છે.) ૦ પન્નર-ઢોડિ-સંયડું - પંદરસો ક્રોડ (૧૫,૦૦,૦૦,૦૦,૦૦૦) ૦ છોડિ વાયા - બેતાળીશ ક્રોડ (૪૨,૦૦,૦૦,૦૦૦). ૦ તૈRવ અડવન્ના - અઠાવન લાખ (૫૮,૦૦,૦૦૦) ૦ છર્વસ સ સિડું - છત્રીસ હજાર ઍસી (૩૬,૦૮૦).
- આ ચારે સંખ્યાનો સરવાળો કરતા ૧૫ અબજ, ૪૨ ક્રોડ, ૫૮ લાખ, છત્રીસ હજાર અને એંશી. (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) થાય છે.
૦ સાલય વિંવાડું - શાશ્વત બિંબોને, શાશ્વત જિનપ્રતિમાને ૦ પUામાન - હું પ્રણામ કરું છું. -૦- સકલતીર્થ સૂત્રમાં ત્રણે લોકના જિનબિંબોનું પ્રમાણ દર્શાવેલ છે ઉર્ધ્વલોકમાં – ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ શાશ્વત પ્રતિમાજી છે. અધોલોકમાં – ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વત પ્રતિમાજી છે. તીછલોકમાં – ૩,૯૧,૩૨૦ શાશ્વત પ્રતિમાજી છે. ૦ ઉર્ધ્વલોકના ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ પ્રતિમાજીની ગણના - બાર દેવલોકના પ્રત્યેક જિનાલયમાં ૧૮૦ પ્રતિમાજીઓ છે. – નવ રૈવેયક તથા અનુત્તરના પ્રત્યેક જિનાલયમાં ૧૨૦ છે.
- બાર દેવલોકના શાશ્વત જિનાલયો - ૮૪,૯૬,૭૦૦ છે. તેથી ૮૪,૯૬,૭૦૦ ૪ ૧૮૦ = ૧,૫૨,૯૪,૦૬,૦૦૦ પ્રતિમા થશે.
– નવરૈવેયકના ૩૧૮ અને અનુત્તર વિમાનના-૫ મળીને ૩૨૩ શાશ્વત જિનાલયો છે. ત્યાં પ્રતિમાજી ૧૨૦-૧૨૦ છે તેથી ૩૨૩ x ૧૨૦ = ૩૮,૭૬૦ પ્રતિમાજી થશે.
– ૧,૫૨,૯૪,૦૬,૦૦૦ + ૩૮,૭૬૦ = ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ એટલે કે એક અબજ, બાવન ક્રોડ, ચોરાણું લાખ, ચુંમાલીશ હજાર, સાતસો સાઈઠ શાશ્વત જિન પ્રતિમાજીઓ ઉર્ધ્વલોકમાં છે.
૦ અધોલોકના ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ પ્રતિમાજીની ગણના
– દશે ભવનપતિઓના ભવનોમાં શાશ્વત જિનાલયોની સંખ્યા પૂર્વે ગણના કરી [1 [20]