________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૨૯૯
બુદ્ધાણં'માં પણ ઉલ્લેખ છે કે, ઉર્જિત પર્વતના શિખરે જેમના દિક્ષા, નાણ, નિર્વાણ ત્રણ કલ્યાણક થયા તે ધર્મચક્રવર્તી અરિઠનેમિને હું નમસ્કાર કરું છું. અર્થાત્ ઉન્નત' એ પ્રાચીન નામ છે. તેનો પૈવતગિરિ' નામે પણ ઉલ્લેખ જોવા મળે છે.
– મુખ્યત્વે જ્ઞાતાધર્મ કથા અને અંતર્ દસા બે આગમોમાં તો તેનો ઉલ્લેખ છે જ, તે સિવાય અનેક ગ્રંથોમાં વિવિધ ચરિત્ર કથાનકોમાં આ ગિરિવરનો ઉલ્લેખ જોવા મળે છે. ગિરનારને આશ્રીને કેટલાંક કલ્પ પણ મળે છે. શ્રી નેમિનાથ ભગવંતના ત્રણ કલ્યાણકોને કારણે આ ભૂમિની પ્રાચીનતા અને પવિત્રતા જૈનોમાં અતિ સ્વીકૃત્ બની છે.
૦ પઠ્ઠ નેમિન – પ્રભુ નેમિજિન. આ ચોવીસીમાં થયેલા બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ ભગવંતને માટે “જિ” શબ્દ વપરાયો છે. પ્રભુ શબ્દ સ્વામી કે ભગવંત અર્થ ધરાવે છે અને બિન શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ લોગસ્સમાં થઈ ગયેલી છે.
– બાવીસમાં ભગવંતનું મૂળ નામ “અરિષ્ટનેમિ' છે તે ઉલ્લેખ લોગસ્સ સૂત્ર૭માં પણ છે અને સૂત્ર-૨૩ સિદ્ધાણંબુઢાણમાં પણ છે જ. તેનો નેમિ શબ્દથી ઉલ્લેખ અહીં છે, તેમજ “બૃહદ્ શાંતિમાં પણ જોવા મળે જ છે.
અરિષ્ટનેમિ કુમાર અવસ્થામાં રાજિમતીની સાથે વિવાહ કરવા નીકળેલા હતા. ત્યાં હોમ માટેના પશુઓને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા. એક વર્ષ સંવત્સર દાન દઈ સ્વયંબુદ્ધ એવા અરિષ્ટનેમિએ ગિરનાર તીર્થે આવી દીક્ષા ગ્રહણ કરી એ બધી વાતો જગતું પ્રસિદ્ધ છે. કેવળજ્ઞાન પણ આ તીર્થે જ પામ્યા.
રાજિમતીએ પણ પછીથી દીક્ષા લીધી તેનો પણ પ્રસંગ નોંધાયેલ છે. રાજિમતી અરિષ્ટનેમિપ્રભુને વંદનાદિ કરી પાછા ફરતા હતા. મુશળધાર વર્ષોથી ભિંજાઈ જવાને કારણે કોઈ ગુફામાં ગયા. ત્યાં ભગવંત અરિષ્ટનેમિના ભાઈ રથનેમિ મુનિ કાઉસ્સગ્નમાં રહેલા હતા. આ વાતથી અજાણ રાજિમતી સાધ્વીએ પોતાના વસ્ત્રોને ત્યાં સૂકવવા માટે કાઢ્યા. વિજળીના ઝળકારમાં તેણીનું અદ્ભુત રૂપ જોઈને રથનેમિમુનિ ચલાયમાન થયા. રાજિમતીને ભોગ માટે પ્રાર્થના કરી. રાજિમતીએ સુંદર, મિષ્ટ, જિન વચનો થકી રથનેમિને પ્રતિબોધિત કર્યા. તેમણે પ્રાયશ્ચિત્ત કર્યું. કાળક્રમે બંને મોક્ષે ગયા.
• જય વીર સચ્ચઉરિ મંડણ – સાચોર/સત્યપુરીના શણગાર રૂપ એવા હે વરપ્રભુ (તમે) જય પામો.
૦ ગયડ - (આપ) જયવંતા વર્તા ૦ વર - હે વીર (મહાવીર) સ્વામી. આ ચોવીસીના ચોવીસમાં તીર્થકર.
– ભગવંત મહાવીરથી પ્રસિદ્ધ એવા આ પ્રભુનું મૂળ નામ વર્તમાન છે. જુઓ સૂત્ર-૮ લોગસ્સ, બૃહદ્ શાંતિમાં પણ વર્તમાન' નામ છે. સૂત્ર-૨૦ કલ્લાસકંદંમાં પણ ‘વદ્ધમા' જ છે. “સિદ્ધાણંબુદ્ધાણં' સૂત્ર-૨૩માં પણ ‘વદ્ધમા' નામ છે વગેરે-વગેરે. પણ તેઓ મહાવીર સ્વામી નામે જ હાલ શાસનમાં પ્રસિદ્ધ છે. “સિદ્ધાણંબુદ્ધાણં' સૂત્ર-૨૩માં “મહાવીર' નામ પણ છે જ. તો સૂત્ર-૨૧ “સંસારદાવામાં તેમનો “વર' નામે પણ ઉલ્લેખ છે જ.
- વર કેમ કહ્યા? વિગેરે તિ-પ્રેતિ મા રૂતિ - જે વિશેષતઃ કર્મોને