________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
૨૯૭
અને સાધુ ભગવંતો ૯૦ અબજ એ તેમની ઉત્કૃષ્ટ સંખ્યા છે. હવે વર્તમાનકાળની તીર્થકર, કેવલી, સાધુની સંખ્યા જણાવે છે–
• સંપઈ – સંપ્રતિ, વર્તમાનકાળે. – વર્તમાનકાળના તીર્થકર, કેવળી, સાધુની સંખ્યા જણાવે છે–
• જિણવર વીસ – વીશ જિનવર ભગવંત વિહરમાન છે. આ સંખ્યા જઘન્ય છે. ઓછામાં ઓછા વીસ તીર્થકર ભગવંતો તો વિચરતા હોય જ. વર્તમાનમાં મહાવિદેડ ક્ષેત્રમાં ૨૦-જિનવર ભગવંતો વિચરી રહ્યા છે. મહાવિદેહની આઠમી, નવમી, ચોવીસમી અને પચ્ચીસમી એ ચારે વિજયમાં એક-એક તીર્થકર વિચરી રહ્યા છે.
જંબુદ્વીપના મહાવિદેહમાં ચાર વિજ્યમાં ચાર જિનવર ભગવંતો, ધાતકી ખંડમાં આ સંખ્યા બમણી છે. કેમકે પૂર્વ મહાવિડ અને પશ્ચિમ મહાવિદેડ એમ બે વિભાગ છે. બંનેમાં ચાર-ચાર તીર્થકર એટલે કુલ આઠ તીર્થકરો થાય એવી જ રીતે અર્ધપુષ્પરાવર્તમાં પણ આઠ તીર્થકરો વિચરી રહ્યા છે. આ રીતે કુલ ૨૦ તીર્થકર વિહરમાન છે.
આ વીસ તીર્થંકર પરમાત્માના ક્ષેત્ર મુજબ નામો આ પ્રમાણે છે–
૦ જંબૂદ્વીપમાં – (૧) સીમંધરસ્વામી, (૨) યુગમંધર સ્વામી, (૩) બાહુ સ્વામી અને (૪) સુબાહુ સ્વામી.
૦ ધાતકીખંડમાં - (૧) સુજાત સ્વામી, (૨) સ્વયંપ્રભ સ્વામી, (૩) ઋષભાનન સ્વામી, (૪) અનંતવીર્ય સ્વામી, (૫) સુરપ્રભ સ્વામી, (૬) વિઘલસ્વામી, (૭) વજધર સ્વામી અને (૮) ચંદ્રાનન સ્વામી
૦ અર્ધપુષ્પરાવર્તમાં – (૧) ચંદ્રબાહુ સ્વામી, (૨) ભુજંગ સ્વામી, (૩) ઈશ્વરદેવસ્વામી, (૪) નમિપ્રભસ્વામી, (૫) વારિષણ સ્વામી, (૬) મહાભદ્ર સ્વામી, (૭) દેવયશા સ્વામી અને (૮) અજિતવીર્ય સ્વામી.
• મુણિ બિહું કોડિહિં વરનાણ – બે કરોડ કેવળજ્ઞાનયુક્ત મુનિ. – પાઠભેદ :(૧) વિહં ને બદલે “વિહિં એવો પાઠ પણ મળે છે.
(૨) વરના શબ્દ પરંપરાનુસાર નોધેલ છે. તેને બદલે વરાળ એવો પાઠ ઉલ્લેખ પણ મળે છે.
(૩) વિ હોરિં વરનાળ ને બદલે ટુ-હો િવનાળ એવો પણ પાઠ કેટલીક પ્રાચીન પ્રતમાં મળે છે.
- બે કરોડ કેવલી મુનિ એ વર્તમાનકાળના વિહરમાન એવા કેવલજ્ઞાની મુનિઓની સંખ્યા સૂચવે છે.
• સમણહ કોડિસહસ્સ દુઅ – ૨૦૦૦ ક્રોડ સાધુ, ૨૦ અબજ સાધુ – વર્તમાનકાળે વિચરતા સાધુઓની સંખ્યા જણાવે છે. - પાઠભેદ - યુગ શબ્દને બદલે “હુ' એવો પાઠ પણ મળે છે.
યુણિજ્જઈ નિચ્ચ વિહાણિ – નિત્ય પ્રભાતે સ્તવના કરાય છે. ૦ થnડું - આવાય છે, સ્તવના કરાય છે, સ્તુતિ કરીએ.