________________
૨૯૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
૦ પરમ - એટલે પહેલું અથવા ઉત્કૃષ્ટ.
૦ સંધયUT - શરીરમાં રહેલા હાડકાંની વિશિષ્ટ રચના. આ રચના છ પ્રકારની હોય છે. (૧) વજઋષભનારાચ સંઘયણ, (૨) ઋષભનારાચસંઘયણ, (૩) નારાજ સંઘયણ, (૪) અર્ધનારાય સંઘયણ, (૫) કીલિકા સંઘયણ અને (૬) સેવાર્ત (છેવટ્ટ)
સંઘયL
આ છ પ્રકારની રચનામાં પહેલું સંઘયણ હોવાથી તે પઢમસંય કહેવાય છે. વળી છ એ અસ્થિરચનામાં તે ઉત્તમ પ્રકારની અસ્થિરચના હોવાથી પઢમ નો ઉત્તમ અર્થ પણ અહીં માન્ય જ છે.
– વજઋષભ નારાચ સંઘયણ કેવું હોય છે ? જે સાંધામાં મર્કટબંધ નામનું એક પ્રકારનું બંધન હોય, તેને ફરતો પાટો અને તેની વચ્ચે વજ જેવી ખીલી મારેલી હોય તેને વજsષભનારાચ સંઘયણ કહે છે.
– તે પછીના સંઘયણો એક-એકથી ઉતરતી કક્ષાના હોય છે.
– આ વજઋષભનારાચ સંઘયણ પહેલી કે ઉત્તમ કક્ષાનું હોય છે અને તીર્થકર પરમાત્મા નિશ્ચયથી આ સંઘયણવાળા હોય છે.
• ઉક્કોસય – ઉત્કૃષ્ટ, વધુમાં વધુ.
આ પદ હવે પછીની ત્રણ સંખ્યાઓ સાથે જોડાયેલ છે. જિનેશ્વર પરમાત્માની સંખ્યા, કેવળજ્ઞાનીઓની સંખ્યા, સાધુઓની સંખ્યા સાથે.
– પાઠ ભેદ-ઉક્કોસઉ અને ઉક્કોસઈ એવા પાઠ પણ પ્રાચીનuતમાં મળે છે. • સત્તરિય જિણવરાણ – ૧૭૦ જિનવર, તીર્થકર, ભગવંત. – પાઠભેદ, સત્તરિસઉ એવો પાઠ પણ પ્રાચીન પ્રતમાં મળે છે.
– વધુમાં વધુ તીર્થકર ૧૭૦ હોય. ભગવંત અજિતનાથના સમયમાં આ સંખ્યા હતી તેવા ઉલ્લેખ મળે છે. આ ૧૭૦ જિનવરનું ગણિત આ પ્રમાણે છે - પાંચ ભરતક્ષેત્રમાં પાંચ, પાંચ ઐરાવત ક્ષેત્રમાં પાંચ અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર-જેમાં પ્રત્યેક મહાવિદેહની ૩૨-૩૨ વિજયો. એટલે કુલ ૧૬૦ વિજયમાં ૧૬૦ જિનવરો. એ બધાં મળીને ૧૭૦ જિનવર થાય. આ વિજયોમાં જંબૂદ્વીપમાં (૩૨ + ૧ + ૧) ૩૪ વિજયો છે, ધાતકીખંડમાં (૬૪ + ૨ + ૨) ૬૮ વિજ્યો છે. એ જ રીતે અર્ધપુષ્કરવર દ્વિીપમાં પણ ૬૮ વિજયો છે.
• વિહરંત લબભાઈ – વિચરતા પમાય છે અર્થાત્ વિચરતા હોય છે. – ઉત્કૃષ્ટપણે વિહરમાન તીર્થકર ૧૭૦ હોય છે - પ્રાપ્ત થાય છે. • નવકોડિહિં કેવલીણ :- નવ કરોડ કેવળજ્ઞાનીઓ. – ઉત્કૃષ્ટથી નવ કરોડ કેવળજ્ઞાની વિચરતા જાણવા. • કોડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ – ૯૦૦૦ કરોડ સાધુ જાણવા.
– વિહરમાન સાધુ ભગવંતોની સંખ્યા સમગ્ર મનુષ્ય ક્ષેત્ર (કર્મભૂમિ જ)માં ૯૦૦૦ કરોડ અર્થાત્ ૯૦ અબજની હોય છે - પ્રાપ્ત થાય છે.
-૦- સારાંશ – વિહરમાન એવા તીર્થકરો-૧૭૦, કેવળજ્ઞાનીઓ ૯ કરોડ