SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ તીર્થંકર પરમાત્માથી સામાન્ય સાધુ-સાધ્વી પર્યંત બધાં જ જ્યારે સર્વ વિરતિ અંગીકાર કરે ત્યારે તેની પ્રતિજ્ઞામાં સામાયિકદંડક ઉચ્ચરે છે. ૨૭૦ જેઓ સર્વથા સાવદ્ય યોગનો પરિત્યાગ કરી શકતા નથી, તેઓ સર્વ વિરતિને બદલે દેશવિરતિ ધર્મ અંગીકાર કરે છે. આ દેશવિરતિ ધર પણ સામાયિકને વ્રતરૂપે ગ્રહણ કરે છે. (તદુપરાંત જો સામાયિકના સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક ભેદો સ્વીકારીએ તો અવિરતિ સમ્યક્દૃષ્ટિ પણ સામાયિકને ધારણ કરે છે. (૭) પ્રતિક્રમણમાં સ્થાન :- પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ સ્થાપના માટે ‘‘સવ્વસ્તવિ’' સૂત્ર બોલાયા બાદ ‘કરેમિ ભંતે’ સૂત્રનું ઉચ્ચારણ થાય છે, જે સામાયિક આવશ્યકરૂપે બોલાય છે, તે સિવાય વંદિત્તુ સૂત્ર પૂર્વે તથા તે પછી કરાતા કાયોત્સર્ગ પૂર્વે ‘કરેમિભંતે' સૂત્ર બોલાય છે, જે પ્રતિજ્ઞાના પૂર્વ સ્મરણ રૂપે બોલાય છે. = સૂત્ર-નોંધ : સૂત્ર મૂળ સ્વરૂપે તો આવશ્યક સૂત્ર (આગમ)નું બીજું સૂત્ર છે. પણ તેમાંના સવ્વ, તું પિ અન્ન ન સમણુનામિ એ બંને શબ્દો પ્રસ્તુત પાઠમાં નથી. તુવિદું ને બદલે તિવિટ્ટુ અને નિયમ ને બદલે ખાવઝીવાણુ શબ્દ છે. જ્યારે પ્રસ્તુત પાઠમાં આવતો પન્નુવાન શબ્દ મૂળ પાઠમાં નથી. - આ સૂત્રનું આધાર સ્થાન પ્રતિક્રમણ ચૂર્ણિ જણાય છે. . આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. આ સૂત્રમાં ગુરુ વર્ણ-૭, લઘુવર્ણ-૬૯ અને સર્વવર્ણ-૭૬ છે. - - આ મહાન્ સૂત્રનું બહુમાન જાળવવા તેનો ઉચ્ચાર ગુરુમહારાજ કે વડિલો પાસે કરાવીને સામાયિક પ્રતિજ્ઞા સ્વીકારાય છે. ઉચ્ચારણની દૃષ્ટિએ જોડાક્ષર અને અનુસ્વાર એ બે પ્રકારની ભૂલો વિશે તો પ્રત્યેક સૂત્રો જેવી જ સૂચના અહીં પણ સમજવાની છે. વિશેષમાં ‘સામાઇયં’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર થતો ઓછો જોવા મળે છે. તો આવી ઉચ્ચાર ભૂલો ન થાય તે જોવું. - -X-X
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy