SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શરીરને યોગ્ય વર્ગણાગત પુદ્ગલો તે દ્રવ્યકાય છે કરીને મૂકેલા પુગલો તે દ્રવ્યકાય કહેવાય છે અને જે બદ્ધ હોય તે ભાવકાય કહેવાય છે. પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ તથા - પ્રયોગ પરિણામ ગ્રહણ જીવ સાથે ઔદારિકાદિ શરીરપણે ‘પત્રવણા' નામક આગમસૂત્રના બારમાં પદમાં ‘શરીર’ અર્થાત્ કાયા વિશે ઘણી જ માહિતી છે. શરીર (કાયા)ના પાંચ ભેદે કહ્યા છે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ. - - મન, વચન અને કાયારૂપ આ ત્રણ કરણ વડે સાવદ્ય યોગ અર્થાત પાપ કે અશુભ પ્રવૃત્તિનું સેવન થાય છે. તેનાથી નિવૃત્ત થવું તેને આ સૂત્રમાં વઘવામિ’ શબ્દથી જણાવેલ છે. આવું પચ્ચક્ખાણ ગૃહસ્થો બે પ્રકારે કરે છે અને સાધુઓ ત્રણ પ્રકારે કરે છે— G ♦ ન કરેમિ ન કારવેમિ :- કરું નહીં, કરાવું નહીં. – અહીં સાધુ દ્વારા થતા પચ્ચક્ખાણમાં તું પિ અન્ન ન સમબુનાળામ અન્ય કોઈ (સાવદ્ય યોગ સેવન) કરે તો તેને સારો જાણું નહીં એટલે વધારે પાઠ જાણવો કેમકે સાધુને તિવિદં પચ્ચક્ખાણ છે. - ગૃહસ્થને વ્રુવિન્હેં પચ્ચક્ખાણ હોવાથી - સ્વયં (સાવદ્યયોગનું સેવન) કરું નહીં, બીજા પાસે (સાવદ્ય યોગનું સેવન) કરાવું નહીં તે પ્રમાણે પચ્ચકખાણ હોય છે. ૦ યોગ અને કરણને આશ્રીને પચ્ચક્ખાણના ભેદ : રેમિ ભંતે આદિથી પ્રતિજ્ઞા વ્યક્ત કરાઈ. ત્યારપછી નાનિયમ શબ્દોથી સામાયિકની કાળમર્યાદા પ્રગટ કરી. ત્યારપછી વિત્તું આદિ શબ્દોથી સાવદ્યયોગની નિવૃત્તિ માટેનું સ્વરૂપ પ્રગટ કર્યું. જે ગૃહસ્થને આશ્રીને છ-કોટિ પચ્ચક્ખાણ કહેવાય છે. તેના ગૃહસ્થને આશ્રીને અનેક ભેદ થાય છે. છ-કોટિ ભેદ આ પ્રમાણે – (૧) મનથી સાવદ્ય યોગનું સેવન કરું નહીં, (૨) મનથી સાવદ્યયોગનું સેવન કરાવું નહીં, (3) વચનથી સાવદ્ય યોગનું સેવન કરું નહીં, (૪) વચનથી સાવદ્ય યોગનું સેવન કરાવું નહીં. (૫) કાયાથી સાવદ્યયોગનું સેવન કરું નહીં, (૬) કાયાથી સાવદ્યયોગનું સેવન કરાવું નહીં. એમ સામાન્યથી છ ભેદ કહ્યા. આ જ વાતને વિસ્તારથી સમજાવતા કહ્યું છે કે (૧) મનથી કરું નહીં, (૨) વચનથી કરું નહીં, (૩) કાયાથી કરું નહીં, (૪) મનથી કરાવું નહીં, (૫) વચનથી કરાવું નહીં, (૬) કાયાથી કરાવું નહીં, (૭) મનથી કરું નહીં-કરાવું નહીં, (૮) વચનથી કરું નહીં - કરાવું નહીં, (૯) કાયાથી કરું નહીં-કરાવું નહીં. એ પ્રમાણે નવ ભેદ થયા. (૧) મન અને વચનથી કરું નહીં. (૨) મન-વચનથી કરાવું નહીં. (૩) વચન અને કાયાથી કરું નહીં, (૪) વચન અને કાયાથી કરાવું નહીં, (૫) કાયા અને મનથી કરું નહીં, (૬) કાયા અને મનથી કરાવું નહીં, (૭) મન, વચન, કાયાથી કરું નહીં. (૮) મન, વચન, કાયાથી કરાવું નહીં. (૧) મન-વચનથી કરું નહીં - કરાવું નહીં, (૨) વચન અને કાયાથી કરું
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy