________________
નવકાર મંત્ર-“મંગલ”
૧૧૧
તો તે અરિહંતાદિ પંચ પરમેષ્ઠી અથવા તો આ નવપદયુક્ત નવકાર મંત્ર જ છે. તેથી જ નવકારમંત્રના અંતે લખ્યું - પઢમં હવ૬ મંર્તિ - જેમાં પદમ શબ્દ પ્રથમ, શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ કે સર્વોત્તમ અર્થમાં છે અને વરૂ શબ્દ “છે" અર્થ દર્શાવતુ ક્રિયાપદ છે.
-૦- વ - અહીં શ્રેવડું પાઠને જ સ્વીકારેલ છે. ઢોડું એવા પાઠ માન્ય કરેલ નથી. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની રત્નશેખર સૂરિજી કૃત્ વૃત્તિમાં કહ્યું છે કે સમગ્ર નવકાર મંત્ર ૬૮ અક્ષરનો છે. જેમાં પ્રથમ પાંચ પદના ૩૫-વર્ણ છે અને છેલ્લા ચાર ચૂલિકા પદના ૩૩ અક્ષર છે. આ વાત માટે તેઓ ચૈત્યવંદન ભાષ્ય અને નિશીથ સૂત્રની પણ સાક્ષી આપે છે. જેમકે ચૈત્યવંદન ભાષ્યની ગાથા ૨૬માં ડ િશબ્દથી ૬૮ અક્ષરનું વિધાન છે જ. ‘હોટ્ટ એવો ભ્રમ ચૂલિકાને અનુષ્ટ્રપ છંદમય બતાવી ફેલાવે છે. પણ ચૂલિકા શ્લોકરૂપે છે જ નહીં. વરૂ શબ્દનું હોવું કરવાથી તે ૬૭ વર્ણ થાય છે. માટે દૈવ જ યોગ્ય છે. પ્રવચન સારોદ્ધારમાં શ્લોક-૭૯ની વૃત્તિમાં પણ છેલ્લા પદના નવ વર્ષો જ કહ્યા છે જે પઢમં વડું મંર્તિ કહેવાથી જ સિદ્ધ થાય છે. હો કહેવાથી નહીં. આ છેલ્લા બે પદને પદ્મવિજયજી મહારાજે પણ પંક્તિબદ્ધ કર્યા છે – “સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જય જયકાર"
શ્રી નવકાર જપો મન રંગે... લઘુ દષ્ટાંત :- સુગુપ્ત નામનો શ્રાવક અને શ્રીમતી નામે તેની પુત્રી હતી. શ્રીમતી સાથે લગ્ન કરવા કપટથી એક અન્યધર્મીએ જૈનધર્મી હોવાનો દેખાવ શરૂ કર્યો તેનાથી આકર્ષાઈને સુગુપ્ત શ્રાવકે શ્રીમતીનો તેની સાથે વિવાહ કર્યો. શ્રીમતી સાસરે આવી જૈનધર્મ પાળવા લાગી. તેથી તેણીની સાસુ અને નણંદ તેણીને ઘણો ત્રાસ આપવા લાગ્યા. તેણીનો પતિ પણ તેણી તરફ કેષવાળો થયો. તેઓએ શ્રીમતીને મારી નાંખવાની યોજના બનાવી કોઈ વખતે પતિએ ઘડામાં ઝેરી સર્પ પૂર્યો ઉપર ઢાંકણ મૂકીને સૂવાના ઓરડામાં તે ઘડો રાખ્યો. પછી શ્રીમતીને તે ઘડામાં ફૂલની માળા છે તેમ કહીને માળા લાવવા કહ્યું. શ્રીમતી નવકાર મંત્રના સ્મરણપૂર્વક જઈને ઘડામાં હાથ નાખ્યો. ત્યારે નવકારમંત્રના પ્રભાવે તે સર્પને બદલે ફૂલની માળા થઈ ગઈ. તેણીનો પતિ આશ્ચર્ય ચકિત થઈ ગયો. શ્રીમતીની શ્રદ્ધા જોઈ સર્વે જૈનધર્મી બની ગયા.
કથામાં રહસ્ય વિચારો. પોતાનું ઘર, ઘડો પોતાનો, પતિ પોતાનો, ઓરડો પોતાનો, તો નવકાર મંત્ર ગણવાની જરૂર ક્યાં આવી? પણ સમજવાની વાત એ છે કે શ્રીમતી નવકાર મંત્રને પરમ મંગલ સ્વરૂપ માનીને હંમેશાં સ્મરણ કરતી હોય | વારંવાર રટણ કરતી હોય, તો આ મંગલમય એવો પંચ પરમેષ્ઠી નવકાર પણ તેણીના જીવન માટે મંગલમય બન્યો.
વ્યાખ્યાનના પ્રારંભે, કોઈ શુભ કાર્યના આરંભે, નવકાર મંત્ર શા માટે ગણવામાં આવે છે ? કારણ કે આ પંચ પરમેષ્ઠી નમસ્કાર ભાવમંગલ છે. શાસ્ત્રકારે પણ કહ્યું છે કે – ઘરનાં મકૂવૅ વોત્તમત્વ શરખ્યત્વે માનાપંચ પરમેષ્ઠીમાં મંગલત્વ, લોકોત્તમત્વ, શરણ્યત્વ એ બધું જ હોવાથી જગતમાં શ્રેષ્ઠ મંગલરૂપ છે.