SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ (૩.પદ્ય-વિભાગ) પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ૧. છે પ્રતિમા મનોહારિણી દુ:ખ હરી, શ્રી વીર નિણંદની; ભક્તોને છે સર્વદા સુખ કરી, જાણે ખીલી ચાંદની; આ પ્રતિમાના ગુણભાવ ધરીને, જે માણસો ગાય છે; પામી સઘળા સુખ તે જગતમાં, મુક્તિ ભણી જાય છે. ૨. જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી; જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી, દષ્ટિ દુઃખો કાપતી: જે પ્રભુએ ભર યૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના; તે તારક જિન દેવના ચરણમાં, હોજો સદા વંદના; ૩. બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે, જયારે દીધી દેશના; ત્યારે હું હતભાગી દૂર વસીયો, તે મેં સુણી લેશ ના; પંચમ કાળ કરાલમાં પ્રભુ તમે, મૂર્તિ રૂપે છો મળ્યા; મારે તો મન આંગણે સૂરત, સાક્ષાત્ આજે ફળ્યા. ૪. ભક્તિ તારી ભૂલી જઈ અ૨૨ હું, હારી ગયો જીંદગી; વાણી આગમની સુણી નહીં કદા, જે છે સુધા વાનગી; યાત્રાઓ તીરથે જઈ પગ વડે, કીધી નહીં આ ભવે; તપથી દેહ દમ્યો નહીં પરભવે, મારું શું થાશે હવે ? ૫. હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ; મહારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતા જડે તે વિભુ; મુક્તિ મંગલ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી; આપો સમ્યગુ રત્ન શ્યામ જીવને, તો તૃમિ થાયે ઘણી. પ્રભુને પ્રદક્ષિણા આપતી વખતે બોલવાના દુહા ૧. કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ સાર; ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય; સમ્યક્ દર્શન પામવા, પ્રથમ પ્રદક્ષિણા દેવાય. ૨. જન્મ મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દરિસણ કાજ; સમ્યગ જ્ઞાન ને પામવા, બીજી પ્રદક્ષિણા જિનરાજ ;
SR No.008042
Book TitlePandita Virvijayji Jain Educational Certificate Course
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherPanditvaryashri Virvijayji Upashray Ahmedabad
Publication Year2002
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Education
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy