________________
ઈતિહાસમાં વખતે-વખત નામે બદલાતાં રહ્યાં હશે, પણ આ ધર્મ પરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાન જ તે આજે છે તેનું તે જ હતું–આત્મવાદ અને અનેકાન્તવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન ધર્મ પરંપરાનું ક૯પવૃક્ષ વધતું ગયું છે.
જેન ધમી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ “શ્રમ, સમતા અને વિકારશમનને સૂચક છે. એમાં પ્રભૂત અર્થ સમાયેલું છે.
જૈન ધર્મને અર્થ છેઃ જિને ઉપદેશ અથવા જિને પ્રસારેલે કલ્યાણ માર્ગ,
જિન” એને કહે છે જેમણે પિતાના દેહગત તથા આત્મગત એટલે અંદર-બહારના વિકારે પર વિજય પ્રાપ્ત કરી લીધું હાય.
આત્માના સૌથી પ્રબળ શત્રુ છેઃ રાગ-દ્વેષ મેતાદિ વિકારો. એટલે “જિન” શબ્દને એક વિશેષ અર્થ છેઃ એ કે અમુક જાતિનું નામ નથી.
આત્મપલબ્ધિ – આત્માની પ્રાપ્તિ–માટે જે “જિન”ના માર્ગે ચાલે છે તે જન છે. વીતરાગ-વિજ્ઞાનતા :
જૈન ધર્મનું પૂણું લક્ષ્ય છે વીતરાગવિજ્ઞાનની પ્રાપ્તિ. આ જે વીતરાગ-વિજ્ઞાન છે તે મંગળમય છે, મંગળ કરનારું છે, અને એના જ પ્રકાશમાં ચાલી માણસ “અરહન્ત પદને પામે છે. (વીતરાગ વિજ્ઞાન : કેવળજ્ઞાન.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org