________________
સહાયક થાય છે. ભારતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યમાં આ બને સંસ્કૃતિના પરસ્પર ઉપરના પ્રભાવ અને આદાન-પ્રદાનના અનેક દશ્ય જોવા મળે છે. એક જ કુટુંબમાં જુદા જુદા વિચારવાળા લોકે પિતપેતાની રીતે ધર્મ સાધના કરતા હતા.
આજે જે જન ધર્મને નામે ઓળખાય છે એનું પ્રાચીન કાળમાં કોઈ વિશેષ નામ નહીં હોય. એ ખરું કે જૈન શબ્દ “જિન” પરથી બન્યો છે, આમ છતાં જૈન શબ્દ પ્રમાણમાં અર્વાચીન છે. ભગવાન શ્રી મહાવીરના સમયમાં એને માટે “નિગ્રન્થ” અથવા “
નિન્ય પ્રવચન શબ્દ ચાલતો એને કયાંક કયાંક આર્ય ધમ પણ કહ્યો છે.
શ્રી પાર્શ્વનાથના સમયમાં તેને “શ્રમણ ધમ પણ કહેતા. શ્રી પાર્શ્વનાથ પહેલાં જે બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમી (શ્રી નેમિનાથ ભગવાન) થઈ ગયા તેના સમયમાં આને “અહંત ધર્મ કહેતા હતા. શ્રી અરિષ્ટનેમી એ શલાકા-પુરુષ શ્રી કૃષ્ણુના કાકાના દીકરા હતા. શ્રીકૃષ્ણ ગાયની સેવા અને ગોરસ (દૂધ આદિ) ને જે પ્રચાર કર્યો તે ખરી રીતે જોઈએ તે અહિંસક-સમાજ-રચના માટે થયેલો એક મંગળ પ્રયાસ હતો.
- બિહારમાં જન ધમ “આહત ધર્મ ના નામે પ્રચલિત હતું. રાજર્ષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશ જ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનું જેને આગમમાં સુંદર ચિત્રણ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org