________________
આ બધા વિદ્વાનોએ જે સૂચનો કર્યા તેના પરથી એ ગ્રંથમાં કેટલીક ગાથાઓ જેડી અને કેટલીક કાઢી નાખી. આમ “જિણ ધમ્મ” પુસ્તકનું પ્રકાશન થયું.
વળી પાછા મારા આગ્રહથી એ ગ્રન્થ પર ચર્ચા કરવા માટે એક સંગીતિ મળી, એમાં મુનિઓ, આચાર્યો, વિદ્વાને અને શ્રાવકે મળી લગભગ ૩૦૦ જેટલા લોકે ભેગા મળ્યા. અનેક વાર ચર્ચાને અંતે એનું નામ અને એનું રૂપ બદલ્યાં. છેવટે સૌની સંમતિ સાથે “શ્રમણ સુક્તમ્' જેને અધ–કાગધીમાં “સમજી સત્ત” કહે છે તે તૈયાર થયું.
એમાં કુલ ૭૫૬ ગાથા છે. જેને ૭ ને આંક પ્રિય છે. ૭ને ૧૦૮ વડે ગુણીએ તે ૭૫૦ થાય છે. સર્વ સંમતિથી એટલી ગાથા લેવામાં આવી છે.
ઠરાવવામાં આવ્યું કે આ વર્ષ ચૈત્ર સુદ તેરસ ને વધમાન જયંતીને દિવસે–(“યંતી” ને બદલે કલ્યાણક શબ્દ વાપરવો જોઈએ.) ૨૪ મી એપ્રિલે આ ગ્રન્થ અત્યંત શુદ્ધ રીતે છાપીને પ્રકાશિત કર. “જયંતીને દિવસે જૈન ધર્મ-સાર જેનું નામ “સમણ સુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે.
હવે આગળ ઉપર જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી જૈન-ધર્મ-સાર” નું અધ્યયન થતું રહેશે.
છેલ્લાં હજાર દોઢહજાર વર્ષમાં નહોતું થઈ શકયું તેવું એક બહુ મોટું કાર્ય સંપન્ન થયું, એમાં બાબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org