________________
૫૯
“મન્નહ જિણાણું આણું ” સઝાયના ૩૬ કતવ્યોનું વિવરણ-દખાન સહિત
તથા પ્રકીર્ણ જિજ્ઞાસા – પ્રેરક બાબત (૧૯૯૦) (આ છેલલા પુસ્તકના અનમેદનીય અભિપ્રાય ઢગલા બંધ આવ્યા છે તેમાંથી પસંદ કરેલા કેટલાક)
(1) મુંબઈ સમાચાર–જય જિનેન્દ્ર સ્થંભ – શ્રી ધર્મપ્રિયઃ ઘણા વખતે કઈ પણ જાતના સંપ્રદાય કે સમુદાયવાદની વાતે વિનાનું, નિભય સત્ય રજુ કરતું, પુસ્તક જોવા મળ્યું.
શ્રાવકોને કરવાના કર્તવ્યોનું દિગદર્શન આ પુસ્તક કરાવે છે તેમજ સમાજમાં ચાલી રહેલી કેટલીક રૂઢિઓના નિરર્થકતા અને અશાસ્ત્રીયતા તરફ વાચક વર્ગનું ધ્યાન દેરે છે.
આજે ચાલેલા જાતજાતના પૂજન અને દેવદેવીઓની માન્યતાઓ અંગે લેખકે લાલબત્તી ધરી છે.
દેખાવમાં સાટું દેખાતું આ પુસ્તક જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ આંતરચક્ષુઓ ઉઘાડનારું બનતું જાય છે. ૮૧ પા -1 પછીનાં પાનાઓ તો દરેક જૈને ખાસ વાંચવા જેવા છે.
વસ્તુઓની રજુઆત લેખકે પદ્ધતિસર અને સાદી સુંદ૨ ભાષામાં કરી છે. એ સાથોસાથ રજુઆત કરવામાં સહેજ પણ સંપ્રદાયની શેહ શરમ રાખી નથી છે માટે, તેઓ ધન્યવાદને પાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org