________________
૨૪
દરેક પ્રાણ જીવનમાં દુ:ખ ઘણેરું, સુખ થોડવું, તેમ શ્રી શાહ સાહેબના જીવનમાં પણ કેટલા ups and downs, vicissitudes-સંયોગોના ફેરફાર-આવેલા પણ પ્રભુ કૃપાથી તેમનું જીવન શાંત સરળ રીતે પસાર થયેલું જણાશે. પુણ્યશાળીને પણ દુ:ખ તો આવે અને તે કર્મની વિચિત્રતા સમજી સમભાવથો વેદે, પરંતુ દુઃખ પાછળ સુખ લઈને આવે છે એવું દેખાશે. થોડાં વિદને આવેલાં તે આંખનાં પલકારામાં પસાર થઈ ગયેલાં અને જીવન–સરિતા હાલ પણ સરળ રીતે વહે છે.
શાસ્ત્ર વચન છે : “હત આસવા પરિસવા.” સામાન્ય રીતે આસ્ત્ર કર્મ—બંધનનું કારણ છે પરંતુ ધર્મમાં દૃઢ શ્રદ્ધા રાખનારને પરિસવનું એટલે સંવર-
નિરાકમ-મુક્તિનું કારણ થાય છે.
શ્રી શાહ સાહેબના દાદા, શહેર અમદાવાદમાં, રાયપુર, શામળાની પિળમાં, એક સુખી સમૃદ્ધ વહેપારી : શ્રી મંગળદાસ લલ્લુભાઈ શાહ હતા. જેમની જીવન ઝરમર શ્રી સાહેબના પુસ્તક “શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ માં વિસ્તારથી આપેલી છે. તેમને તેમના દાદાશ્રી તરફથી જૈન ધર્મના સંસ્કાર વારસામાં મળેલા જે શ્રી શાહ સાહેબના પિતા શ્રી ગોકળદાસમાં ઉતરી આવેલા અને તે દ્વિગુણિત થઈ શાહ સાહેબમાં આવેલા જણશે. આ સંસ્કારોને પ્રતાપે શ્રી શાહ સાહેબના દાદાશ્રી તથા પિતાશ્રીએ જ્ઞાન પુસ્તક પ્રકાશનમાં ઉ૯લાસભર્યો ભાગ લીધેલો અને આ વારસો શ્રી શાહ સાહેબમાં ઉતરી આવ્યું જેથી તેમણે તેમની નિવૃત્તિને સમય ૧૯૭૬ થી ૧૯૯૧ ને જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org