________________
કિંચિત્ વક્તવ્ય
પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા તરફથી આજે વિદ્વાને અને જિજ્ઞાસુઓના કરકમલમાં જૈન દર્શન નામને ચિંથ અર્પણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં તાત્વિક જૈન દષ્ટિએ જીવન વિકાસને માર્ગ દર્શાવતાં અનેકાનેક પ્રકરણોને સંગ્રહ ગુજરાતીમાં આપવામાં આવે છે. એમાં પૂર્વાચાર્ય વર્ણિત વિવિધ પદાર્થોનું સ્વતંત્ર નવીન દષ્ટિએ વર્ણન અને વિવેચન કરવામાં આવ્યું છે. આ આખા પુસ્તકના મૂળ પ્રણેતા પૂજ્યપાદ મુનિવર શ્રી ન્યાયવિજયજી મહારાજ છે. એઓશ્રીએ પ્રત્યેક વિષયને પિતાની સૂકમ દષ્ટિએ ઠીક ન્યાય આપે છે. કેઈ પણ વિષય ઉપર ગમે તે બેલવું કે બેલી નાખવું એ ઘણું સહેલું છે, પરંતુ એ વિષયને લિપિબદ્ધ કે ગ્રંથબદ્ધ કરે એ ઘણું કપરૂ કામ છે. પૂજ્યપાદ શ્રી ન્યાયવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્યવણિત વિવિધ જૈનધર્મ માન્ય તાત્તિવક પદાર્થોને વીણીવાણીને વર્તમાન યુગને અનુરૂપ ગંભીર ભાષામાં ઉતારી વિદ્વદ્વર્ગ અને જિજ્ઞાસુ જનતા ઉપર ખરે જ મહાન અનુગ્રહ કર્યો છે.
આ કૃતિ અને એ સિવાયની એમની બીજી મૌલિક કૃતિઓ સર્જાવા પાછળ તેઓશ્રીનાં વર્ષોનાં તપ અને ચિંતન છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org