SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ હતાવળા પદાર્થનૂતનું જ્ઞાન બતાવે તે દર્શન યા દર્શનશાસ્ત્ર, અર્થાત્ દર્શનશાસ્ત્રને વિષય પદાર્થ–તત્વ છે, અને ધર્મશાસ્ત્રને વિષય ધર્મ છે ધર્મ એટલે આચરણીય માર્ગ. આમ છતાં [ એ બને શાસ્ત્ર ખરી રીતે પૃથફ છતાં ] દર્શનશાસ્ત્રમાં ધર્મ શાસ્ત્રના વિષયનું (ધર્મનું) ઘેડુ-ઘણું નિરૂપણ લાવવામાં આવે છે એ દર્શનશાસ્ત્રના અભ્યાસીથી અજાણ્યું નથી એનું કારણ એ છે કે માત્ર દર્શનશાસ્ત્રના વિષયનું જ્ઞાન કરી લીધાથી કંઈ જીવનને મૂળ અર્થ સરતે નથી દર્શનશાસ્ત્ર અથવા ગમે તે વિષયનું જ્ઞાન મેળવ્યા પછી પણ ધર્મનું જ્ઞાન મેળવવાની જરૂર રહે છે જ. કેમ કે જીવનનું કલ્યાણ ધર્મના પાલનથી છે. માટે ધર્મને એના સાચા રૂપમાં સમજ દરેકને માટે આવશ્યક રહે છે. અએવ એ સ્પષ્ટ છે કે ધર્મશાસ્ત્રના વિષયનું (ધર્મનું) જ્ઞાન મેળવવાનું પ્રયજન નિશ્રેયસ છે, કેમ કે ધર્મનું સાચું જ્ઞાન હોય તે જ ધર્મ યથાર્થ રીતે આચરણમાં મૂકી શકાય અને ત્યારે જ નિઃશ્રેયસની સિદ્ધિ થઈ શકે પણ જ્યારે દર્શન શાસ્ત્રના જ્ઞાનનું પ્રયોજન પણ નિઃશ્રેયસ બતાવવામાં આવે છે, જેવી રીતે “ન્યાયદર્શન,” “વૈશેષિક દર્શન” વગેરે દર્શનશાસ્ત્રોના પ્રારંભમાં બતાવવામાં આવેલ છે, ત્યારે એનો અર્થ એ જ થાય કે ધર્મશાસ્ત્રના જ્ઞાન સાથે દર્શનશાસ્ત્રના જ્ઞાનને વિશિષ્ટ સંબંધ છે, જે પહેલાને સતેજ બનાવવામાં ઉપયોગી થઈ શકે છે. પાતંજલ યુગદર્શનને દર્શનશાસ્ત્ર કહી શકાય, તેમ ધર્મશાસ્ત્ર પણ કહી શકાય. કેમ કે તેમાં જેમ દાર્શનિકતત્વજ્ઞાન વર્ણવાયેલું છે, તેમ હિસા, સત્ય, અસ્તેય, વહાલું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy