________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
[ ૭૫ નિમિત્તનો પરાજય –
તબ નિમિત્ત હાર્યો તહાં, અબ નહિં જોર બસાય; ઉપાદાન શિવલોકમેં, પહુંચ્યો કર્મ ખપાય. ૪૦.
અર્થ :–ત્યારે નિમિત્ત ત્યાં હાર્યું; હવે તે કાંઈ જોર કરતું નથી. ઉપાદાન કર્મનો ક્ષય કરી શિવલોકમાં (સિદ્ધપદમાં) પહોંચ્યું. ૪૦. ઉપદાનની જીત :–
ઉપાદાન જીત્યો તહાં, નિજબલ કર પરકાસ; સુખ અનંત ધ્રુવ ભોગવે, અંત ન બન્યો તાસ. ૪૧.
અર્થ:—આ રીતે પોતાના બળનો પ્રકાશ કરીને ઉપાદાન જીત્યું. (તે ઉપાદાન હવે) અનંત ધ્રુવ સુખને ભોગવે છે કે જેનો અંત આવતો નથી. ૪૧. તત્ત્વસ્વરૂપ –
ઉપાદાન અરુ નિમિત્ત યે, સબ જીવનપે વીર; જો નિશક્તિ સંભારહીં, સો પહુંચે ભવતીર. ૪૨.
અર્થ :–ઉપાદાન અને નિમિત્ત એ બધા જીવોને હોય છે, પણ જે વીર છે તે નિજશક્તિને સંભાળી લે છે અને ભવનો પાર પામે છે. ૪૨. આત્માનો મહિમા –
ભૈયા મહિમા બ્રહ્મકી, કૈસે વરની જાય; વચન-અગોચર વસ્તુ હૈ, કડિવો વચન બનાય. ૪૩.
અર્થ –ભૈયા (ભગવતીદાસ) કહે છેઃ બ્રહ્મનો (આત્માનો) મહિમા કેમ વર્ણવ્યો જાય? તે વસ્તુ વચનથી અગોચર છે—કયાં વચનો વડે બતાવાય? ૪૩.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250