________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક 7
[ ૩૫ અર્થ :–જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારનાં વચનોને ગ્રહીને ‘પદ્રવ્ય મારું છે' એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે “કોઈ પરમાણુમાત્ર પણ મારું નથી'.
कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ॥३८३॥ कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं । तत्तो णियत्तदे जो सो पञ्चक्खाणं हवदि चेदा ॥ ३८४॥ जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं । तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा ॥ ३८५॥ णिचं पच्चक्खाणं कुव्वदि णिचं पडिक्कमदि जो य ।
णिचं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा ॥३८६॥ શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્સે આત્મને, તે આતમાં પ્રતિક્રમણ છે; ૩૮૩. શુભ ને અશુભ ભાવિ કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો, તે જીવ આલોચના ખરે. ૩૮૫. પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
અર્થ :–પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને *નિવર્તાવે છે, તે આત્મા પ્રતિક્રમણ છે.
* નિવર્તાવવું = પાછા વાળવું; અટકાવવું; દૂર રાખવું.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250