SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ જ્ઞાનસારની ગરિમા જ્ઞાનસાર વધારે તેવા પ્રકારના સુખકારી અને આનંદદાયક વિષયોનો સમૂહ હોય તો જ તે નગર શોભાને પામે છે તેમ આ સ્યાદ્વાદનગરમાં પણ નિશ્ચય-વ્યવહાર નય, નૈગમાદિ સાત નય અને નામ-સ્થાપન આદિ ચાર નિક્ષેપ ઈત્યાદિ ભવ્ય રચનાઓ રૂપી સુખકારી કાર્યોનો સમૂહ વર્તે છે તેથી આ નગર શોભાવાળું છે. ભવ્યજીવો આ જ્ઞાનસાર નામના વહાણ ઉપર જો ચઢશે (જો આ શાસ્ત્રનો હૃદયના ભાવપૂર્વક અભ્યાસ કરશે) તો અજ્ઞાન દશા રૂપ અમાપ પાણીથી ભરેલા અસંયમ અને કષાયો રૂપી ભવસાગરને ઓળંગીને ભુંગળયુક્ત દરવાજાવાળા, ખાઈયુક્ત કિલ્લાવાળા, અનેક પ્રકારના ભંડારવાળા, આનંદની લહરીઓવાળા, આત્મિક સંપત્તિવાળા અને અનેક પ્રકારની શહેરની સુવિધાવાળા સ્યાદ્વાદનગરમાં અવશ્ય સુખે સુખે પ્રવેશ પામશે. હવે પાઠકોમાં (ઉપાધ્યાયોમાં) ઈન્દ્રસમાન એવા શ્રીમાનું યશોવિજયજી મહારાજશ્રી જ્ઞાનસારાષ્ટકના ફળનો ઉપદેશ સમજાવવા રૂપ આ ગ્રંથનું ઘણું જ કિંમતી મૂલ્ય કહે છે. લાખો-કરોડો અને અબજો રૂપિયાથી પણ જે માપી ન શકાય તેવું અમૂલ્ય મૂલ્ય આ ગ્રંથનું છે. આવું વર્ણન કરવા રૂપે ગ્રન્થની સમાપ્તિ સૂચક કળશ સ્વરૂપ અન્તિમ અધિકાર હવે પછીની ૫ થી ૧૨ ગાથામાં જણાવે છે. જો स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिर्महोदयं ज्ञानसारं समधिगच्छति ॥५॥ ગાથાર્થ :- બત્રીશ અષ્ટકો દ્વારા સ્પષ્ટ જણાવાયેલા, તત્ત્વને પામનારા મુનિ જ્ઞાનના સાર રૂપ મહોદયને (મોક્ષની પ્રાપ્ત કરે છે. પણ ટીકા :- “Wઈ નહૂિતમિતિ” મુનિ -ત્રિવતવિષથી, અષ્ટવૈઃ સ્પણું- तत्त्वं-वस्तुधर्मं आत्मपरिणमनरूपम् निष्टङ्कितम्-निर्धारितम् प्रतिपन्नवान्-अङ्गीकृतवान् । स मुनिः महोदयं-मोक्षरूपं ज्ञानसारं-ज्ञानस्य सारं चारित्रं, तथा परां-मुक्तिं, समधिगच्छति-प्राप्नोति । उक्तञ्च (श्रीविशेषावश्यकभाष्ये) सामाइअमाईअं, सुअनाणं जाव बिंदुसाराओ । तस्स वि सारो चरणं, सारं चरणस्स निव्वाणं ॥११२६॥ तं प्राप्नोति ॥५॥
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy