________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૩૯ આ કારણે જ વિચારામૃતસંગ્રહ નામના ગ્રંથમાં નિયતિની અનિત્યતા કહેલી છે. આજીવિકમતવાળાનો એકાન્ત જે નિયતિનો પક્ષ છે, જે જેમ થવાનું હોય છે તે તેમ જ થાય છે આ પણ મિથ્યાત્વ છે. આવા પ્રકારનો એકાન્ત નિયતિનો પક્ષ એ જૈનોની માન્યતા નથી. આ પ્રમાણે જૈનમાર્ગમાં અંશે અંશે નિયતિ પણ માનેલી છે, અંશે અંશે કાલ, સ્વભાવ, પૂર્વકૃત પણ માનેલા છે. માટે પાંચેનો સાપેક્ષપણે સમુચ્ચય એ જ કાર્યનું કારણ છે આમ અનેકાન્તવાદ-સ્યાદ્વાદ એ જ યથાર્થદર્શન છે. તેથી યથાસ્થાને ઉપકારી થાય તે રીતે સર્વે નયોનો આશ્રય સ્વીકારવો જોઈએ. જો
श्रेयः सर्वनयज्ञानां, विपुलं धर्मवादतः । शुष्कवादविवादाच्च, परेषां तु विपर्ययः ॥५॥
ગાથાર્થ :- સર્વ નયોને જાણનારા પુરુષોની દષ્ટિ ધર્મવાદ-સ્વરૂપ હોવાથી વિશાળ યશ પામે છે પરંતુ તેનાથી પર એવા એકાન્તવાદીઓની દૃષ્ટિ શુષ્કવાદ રૂપ હોવાથી અને વિવાદરૂપ હોવાથી વિપરીત ફળ આપનાર અર્થાત્ અપયશ અને અકલ્યાણ કરનારી બને છે ||પો.
ટીકા :- “શ્રેયઃ સર્વેતિ” સત્ર ૨ શ્રીદમિત્રોવતાછ (અષ્ટવા ૨૨ શ્નો ૨) वादत्रयस्वरूपं तद् यथा शुष्कवादः विवादः धर्मवादः । कण्ठतालुशोषणमात्रः शुष्कवादः, यथार्थताशून्यः कषायोपष्टम्भत्वात् त्याज्यः । परपक्षपराजयबुद्धया स्वपक्षस्थापनपुरःसरः (वादः) विवादः, सोऽपि हेयः । तत्त्वज्ञानी परस्परतत्त्वावबोधाय तत्त्वार्थिनं प्रति यद् वदति स धर्मवादः ।।
सर्वनयज्ञानां-सर्वनयज्ञानवतां धर्मवादतो वक्ता तत्त्वकथनरसिकः, श्रोता च तत्त्वज्ञानरसिकः इति उभयोर्यथार्थयोगे धर्मकथनतो विपुलं श्रेयः-कल्याणम् । यदि च न श्रोता तादृक् तथापि तत्त्वबोधनेच्छया धर्मकथनं हिताय । च-पुनः शुष्कवादात्, च-पुनः विवादात् परेषामेकान्तदृष्टीनां विपर्ययः-अश्रेयः-अकल्याणम् । सूक्ष्मार्थकथनं पात्रयोग्यतया धर्महितकरणं तु भावानुकम्पा । ॥५॥
| વિવેચન :- પરમપૂજ્ય ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશક પ્રકરણના ૧૨મા ષોડશકમાં કહ્યું છે કે -
शुष्कवादो विवादश्च, धर्मवादस्तथापरः । इत्येष त्रिविधो वादः, कीर्तितः परमर्षिभिः ॥१॥