SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ ૮૨૭ તારનાર છે. આમ બન્ને નયોની વાત સાપેક્ષપણે સાચી હોવાથી મુનિમહારાજ યથાસ્થાને બધા જ નયોનો આશ્રય સ્વીકારે છે. કોઈનો પણ અનાદર કરતા નથી. બીજે ગામ જવું હોય તો ઘોડાનો આશ્રય પણ લેવો પડે છે અને ઈષ્ટ સ્થાન આવે ત્યારે ઘોડાનો ત્યાગ પણ કરવો પડે છે તેમ સાધ્ય સાધવું હોય ત્યારે સાધન સ્વીકારવું પણ પડે છે અને સાધ્ય સિદ્ધ થઈ જાય પછી ત્યજી પણ દેવું પડે છે સાધ્યની સિદ્ધિ સુધી સાધનનું ગ્રહણ અને અનુરૂપ ઉદ્યમ સ્વીકારવાનો હોય છે અને સાધ્યની સિદ્ધિ થાય ત્યારે વિશ્રાન્તિ સ્વીકારવાની હોય છે આમ મુનિ યથાસ્થાને નયોનું યુંજન કરે છે. અનુયોગ દ્વાર નામના સૂત્રમાં કહ્યું છે કે - “સર્વે પણ નયોનું બહુ પ્રકારનું વક્તવ્ય સાંભળીને ચારિત્ર રૂપ ગુણમાં સ્થિર એવો સાધુ સર્વનયોથી વિશુદ્ધ (અર્થાત્ સર્વ નયોને સમ્મત) એવું જે વચન છે તેનો આશ્રય કરે છે” ભગવતીજી સૂત્રની ટીકામાં પણ કહ્યું છે કે - “જો જિનેશ્વરપ્રભુનો સિદ્ધાન્ત (પ્રવચન) તમે સ્વીકાર કરતા હો તો વ્યવહારનય અથવા નિશ્ચયનય આ બન્નેમાંથી એક પણ નયને છોડો નહીં (તજો નહીં) કારણ કે એક વ્યવહારનય વિના તીર્થનો ઉચ્છેદ થશે અને અન્ય એવા નિશ્ચયનય વિના સત્યનો ઉચ્છેદ થશે’’ આ પ્રમાણેનાં શાસ્ત્રવચનો હોવાથી તથા બન્ને નયો સ્વીકારીએ તો જ હિત થાય છે આમ અનુભવસિદ્ધ વાત હોવાથી સામ્યતા રાખવી એ જ કલ્યાણકારી છે. આ જ વાતને વધારે મજબૂત કરે છે. पृथग् नया मिथ: पक्ष - प्रतिपक्षकदर्थिताः । समवृत्तिसुखास्वादी, ज्ञानी सर्वनयाश्रितः ॥२॥ ગાથાર્થ :- ભિન્ન ભિન્ન રીતે જોડાયેલા આ નયો પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવવાળા થયા છતા વિડંબના પામે છે. પરંતુ સમતાભાવની વૃત્તિથી સુખનું આસ્વાદન કરનારા જ્ઞાની પુરુષ સર્વે પણ નયોનો યથાસ્થાને આશ્રય કરે છે. ॥૨॥ ટીકા :- “પૃથનયા કૃતિ'' તે મિથ:-પરસ્પર, પૃથ-મિનં મિનમ્, પક્ષप्रतिपक्षकदर्थिताः-वादप्रतिवादकदर्थनाविडम्बिता नया दुर्नया इत्यर्थः । अत एव ज्ञानी यथार्थभासनया सर्वनयाश्रितः - सर्वनयमार्गसापेक्षावबोधमग्नो भवति । कथम्भूतो ज्ञानी ? समवृत्ति:-इष्टानिष्टत्वताभावः, तस्य सुखास्वादनशीलः । उक्तञ्च -
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy