________________
૮૧૦ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર ગાથાર્થ :- જ્યાં બ્રહ્મચર્ય છે (અથવા જ્ઞાનદશા જાગૃત છે) જિનેશ્વરપ્રભુની પૂજા છે. કષાયોનો નાશ છે અને દઢ આગ્રહ સાથે જિનેશ્વરપ્રભુની આજ્ઞાનું પાલન છે. તે જ સાચો શુદ્ધ તપ કહેવાય છે. ll
ટીકા :- “યત્ર વ્રતિ' યત્ર-મિન્ તાસિ દ્રા-મૈથુનત્યા: વિષયાનäકઃ अस्ति । यत्र जिनानामर्चा-पूजा-तत्त्वभक्तिवर्द्धते । पुनः यत्र कषायाणां क्रोधादीनां રુતિઃ-નાશ:, -પુન: સત્ર કિનાજ્ઞા-શ્રીવીતરાણોક્તપ્રવનપદ્ધતિઃ સાનુવસ્થા-સાપેક્ષા, तत्तपः शुद्धमिष्यते । भावना च-प्रथममिन्द्रियाभिलाषनिरासे शान्तपरिणत्या सिद्धान्तोक्तविधिना निरभिलाषस्य तपः विशुद्धं भवति । अनादिपरभावसुखस्पृहया किं केन न कृतं कष्टानुष्ठानम् ? यच्च स्वरूपनिरावरणार्थं निःसङ्गनिर्मोहतत्त्वैकत्वरूपं व्याघातकपरभावाहारादिग्रहणनिवारणलक्षणं तपः श्रेष्ठमिति । उक्तञ्च -
निरणटाणं मयमोहरहियं सुद्धतत्तसंजुत्तं । अज्झत्थभावणाए, तं तवं कम्मखयहेउं ॥१॥ ॥६॥
વિવેચન :- સામાન્યથી આહારાદિ પર-પુદ્ગલદ્રવ્યના ગ્રહણનો જે ત્યાગ કરાય છે તેને તપ કહેવાય છે. પરંતુ તે તપમાં પણ શુદ્ધ તપ કોને કહેવાય? તે વિષય આ શ્લોકમાં સમજાવે છે - જે તપના આચરણકાળે બ્રહ્મચર્યનું પાલન કરાય, મૈથુનસેવનનો ત્યાગ કરવામાં આવે, સાથે સાથે વિષયસેવનની અભિલાષાનો પણ ત્યાગ કરાય તથા જિનેશ્વર પરમાત્માની પૂજા કરાય એટલે કે જિનેશ્વર પરમાત્માની તાત્વિક-સાચી ભક્તિની વૃદ્ધિ કરવામાં આવે, તથા જે તપ કરવાના આચરણકાળે ક્રોધ-માન-માયા અને લોભ આદિ કષાયોનો નાશ કરવામાં આવે તથા જે તપ-આચરણકાળે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું સવિશેષ પાલન-આરાધન કરવામાં આવે, એટલે કે શ્રી વીતરાગ પરમાત્માના કહેવા પ્રવચનની જે પદ્ધતિ (રીતભાત) છે. વીતરાગપ્રભુના શાસનમાં તપ કરવાની જે રીત બતાવવામાં આવી છે તે રીતભાતની અપેક્ષા રાખીને તેને અનુસરીને જ જે તપ કરવામાં આવે, અલ્પ માત્રામાં પણ તેનું ઉલ્લંઘન કરવામાં ન આવે. આવા પ્રકારની વિધિપૂર્વક કરાયેલો જે તપ છે તે જ સાચો અને શુદ્ધ તપ છે. શુદ્ધ તપનું આ લક્ષણ જાણવું.
ઉપર કહેલી વાતનો ભાવાર્થ એવો છે કે સૌથી પ્રથમ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખની અભિલાષાનો ત્યાગ કરીને-વિષયસુખની અભિલાષાથી રહિત થઈને શાન્તપરિણતિપૂર્વક સિદ્ધાન્તમાં કહેલી વિધિ મુજબ ભોગોની કે પરભવમાં વિષયસુખની અભિલાષા વિના આત્મશુદ્ધિની બુદ્ધિ રાખીને જે તપ કરાય તે જ તપ વિશુદ્ધ તપ કહેવાય છે.