SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩) ૭૮૯ ગાથાર્થ :- આ પ્રમાણે ધ્યાનના ઉપયોગપૂર્વક વિશસ્થાનકની આરાધના વગેરે પણ કરવી યોગ્ય છે (ઉચિત છે. ફળ આપનાર છે), પરંતુ કષ્ટમાત્ર રૂપે કરાતી આરાધના તો આ સંસારમાં અભવ્ય જીવોમાં પણ દુર્લભ નથી. પણ ટીકા :- “સ્થતિ ફર્થ-પૂર્વોવનપ્રશ્નારેબ, થાનના-ત્રિવિધ્યાનોપયોકાર્ विंशतिस्थानकाद्यपि-विंशतिस्थानतपःप्रमुखं गुणिबहुमानेन, युक्तं-कर्तुमुचितम् । अभव्यानां तु-अन्यत् सम्यग्दर्शनादिगुणिबहुमानध्यानोपयोगशून्यं विंशतिस्थानादितपोव्यूह कष्टमात्रं-कायक्लेशरूपं भवे-संसारे, नो दुर्लभं बाह्याचरणं जैनोक्तमपि बहुशः अभव्यैः कृतपूर्वमिति ॥५॥ | વિવેચન :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા એ સમાપતિ, તેના ફળ રૂપે જિનભક્તિની તન્મયતા એ આપત્તિ. (પ્રાપ્તિ) કહેવાય છે અને તેના ફળ રૂપે તીર્થંકર નામકર્મનો બંધ થવાથી બાહ્ય-અભ્યત્તર સંપત્તિ એમ ધ્યાનનાં ત્રણ પ્રકારનાં ક્રમશઃ ફળો છે. ધ્યાનથી જીવની કેવી અને કેટલી ઊર્ધ્વગતિ થાય છે તે આ ગાળામાં સમજાવ્યું છે. આ સમજાવ્યા પ્રમાણે સમાપત્તિ, આપત્તિ (પ્રાપ્તિ) અને સંપત્તિ એમ ત્રણ પ્રકારનું ધ્યાનફળ છે. તેવા પ્રકારના ઉપયોગ પૂર્વક કરાયેલ વિશસ્થાનકનો તપ વગેરે યોગ્ય છે. કારણ કે તે તપ કરતાં વિશસ્થાનકમાં જે જે સ્થાનની આરાધના કરાય છે. તે તે સ્થાનમાં વર્તતા ગુણી પુરુષો પ્રત્યેનું હૃદયમાં અત્યન્ત બહુમાન વર્તે છે. કારણ કે ધ્યેયની સાથે એકાગ્રતા છે માટે આવા પ્રકારના ગુણી પુરુષો ઉપરના બહુમાનપૂર્વક કરાતો તપ તીર્થકર નામકર્મના બંધ દ્વારા આપત્તિ (પ્રાપ્તિ) અને સંપત્તિ આપનાર બને છે માટે કરવો ઉચિત છે. આવા પ્રકારના ઉપયોગથી શૂન્ય તપ આત્માના કલ્યાણ કરનારો થતો નથી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકક્યારિત્રાદિ ગુણો જેમાં છે એવા ગુણવાન પુરુષોના બહુમાન રૂપ ધ્યાનનો ઉપયોગ જ્યાં નથી એવું વીશસ્થાનકાદિનું કરાતું તપ વગેરે (તથા ભિન્ન ભિન્ન જાતના તપનો સમૂહ), તે કષ્ટમાત્ર જાણવું, કાયાને ક્લેશમાત્ર આપનારું જાણવું, ગુણીના બહુમાનના ઉપયોગ રૂપ ધ્યાનથી શૂન્ય તપ આત્માના કલ્યાણને કરનારું નથી. આવું તપ આ સંસારમાં દુર્લભ નથી. અભવ્ય જીવો પણ આવું ઉપયોગશૂન્ય તપ ઘણીવાર કરે છે. જૈનશાસ્ત્રોમાં કહેલું એવું તપ ઉપયોગ શૂન્યપણે અભવ્ય જીવો વડે પણ ભૂતકાળમાં ઘણીવાર કરાયું છે. તેનાથી આત્માનું કલ્યાણ બીલકુલ થતું નથી. સારાંશ એ છે કે ગુણિનું બહુમાન હૃદયમાં આવવું જોઈએ અને તે બહુમાન ઉપરોક્ત ધ્યાન દ્વારા આવે છે. પણ
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy