________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૨૭ ક્રિયાઓ, ચૈત્યવંદનાદિ દેવવંદનની ક્રિયાઓ અને પડિલેહણ આદિ જીવરક્ષાની ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ.
સ્થાનાદિ યોગ સાચવવા પૂર્વક આવશ્યકક્રિયા અને ચૈત્યવંદનાદિની ક્રિયા કરવી એ સર્વ જીવોને માટે અતિશય કલ્યાણ કરનાર છે. તેથી સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ આદિ સાચવવા સાથે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાથી જ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. જે લોકો ક્રિયાને જડક્રિયા કહીને ક્રિયાનો નિષેધ કરે છે તે આ પાઠની સાક્ષીથી ઉચિત નથી. l૪ો.
अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् । श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ॥५॥
ગાથાર્થ - ચૈત્યવંદનાદિ ધર્મક્રિયાના કાળે અર્થયોગ અને આલંબનયોગમાં ઉપયોગની એકાગ્રતા યોગિ-મહાત્માને કલ્યાણનું કારણ બને છે અને સ્થાનયોગ તથા વર્ણયોગમાં કાયિક અને વાચિક પ્રયત્ન (યોગની સ્થિરતા) એ કલ્યાણનું કારણ બને છે. પા
ટીકા - “અર્થાત્નમ્બનયોતિ” અર્થો-વીવીશ્ય માવા, મનસ્વનં-વાળે पदार्थे अर्हत्स्वरूपे उपयोगस्यैकत्वम् । अर्थश्च आलम्बनञ्च अर्थालम्बने, तयोः चैत्यवन्दनादौ-अर्हद्वन्दनाधिकारे विभावनं-स्मरणं करणीयं श्रेयसे-कल्याणार्थम् । च-पुनः स्थानं-वन्दनककायोत्सर्गशरीरावस्थानमासनमुद्रादि, वर्णाः-अक्षराणि, तेषां शुद्धिस्तयोः यत्न एव श्रेयसे-कल्याणाय भवति-उक्तञ्चावश्यके -
जं वाइद्धं, वच्चामेलियं, हीणक्खरं, अच्चक्खरं, पयहीणं विणयहीणं, जोगहीणं, घोसहीणं, सुठुदिण्णम्, दुठ्ठपडिच्छियं, अकाले कओ सज्झाओ, काले ण कओ सज्झाओ, (असज्झाइए सज्झाइयं, सज्झाइए ण सज्झाइअं) तस्स मिच्छामि કુટું” I (માવનિર્યુક્તિ-પIIમલિટ્ટાસૂત્ર )
इत्यनेन द्रव्य-क्षेत्र-कालविशुद्धौ भावसाधनसिद्धिः तेन द्रव्यक्रिया हिता ॥५॥
વિવેચન :- જે જે સૂત્રપાઠો બોલાતા હોય તે તે પાઠો સંબંધી વાક્યોના ભાવાર્થરહસ્યાર્થ વિચારવા તે અર્થયોગ, વાચ્ય વસ્તુ એટલે કે ધ્યાન કરવા યોગ્ય, ચિંતન કરવા યોગ્ય એવી અરિહંત પરમાત્માની પ્રતિમાના આલંબને અરિહંત પરમાત્માના સ્વરૂપ-ચિંતનમાં ઉપયોગની એકાગ્રતા તે આલંબનયોગ.