________________
૭૨૪
યોગાષ્ટક - ૨૭
इच्छा तद्वत्कथाप्रीतिः, प्रवृत्तिः पालनं परम् ।
स्थैर्यं बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् ॥४॥
"
જ્ઞાનસાર
ગાથાર્થ :- પાંચ પ્રકારના યોગવાળા મહાત્મા પુરુષોના ગુણગાન ગાવામાં પ્રીતિ તે ઈચ્છા, યોગોનું યથાર્થપણે ઉત્કૃષ્ટરીતિએ પાલન થવું તે પ્રવૃત્તિ, બાધક એવા અશુદ્ધ અધ્યવસાયો આવવાનો જે ભય, તેનો અભાવ કરવો તે સ્થિરતા, અને શુદ્ધ દશાની પ્રાપ્તિ થવી અને પરોપકાર કરવો તે સિદ્ધિ જાણવી. ।।૪।
ટીકા :- ‘“ફચ્છા તøવિતિ'' ફચ્છા-સાધમાવામિનાષ:। તવ્ યોપØ યેષુ विद्यन्ते ते तद्वन्तः श्रमणाः तेषां कथासु-गुणकथनादिषु प्रीतिः - इष्टता । उक्तञ्च हरिभद्रपूज्यैः
" तज्जुत्तकहापीईइ, संगया विपरिणामिणी इच्छा । इति
વિવેચન :- સ્થાનયોગાદિ એક-એક યોગના ઈચ્છાદિ ચાર-ચાર ભેદો છે. ત્યાં પ્રથમ ઈચ્છા કોને કહેવાય ? તે સમજાવે છે. ઈચ્છા એટલે આત્મતત્ત્વની સાધના કરનારા સાધકની આત્મતત્ત્વ સાધવાના ભાવની તીવ્ર અભિલાષા તેને ઈચ્છા કહેવાય છે. સારાંશ કે આ પાંચે યોગો જે મહાત્મા પુરુષોમાં વિકસ્યા છે, ફાલ્યા-ફુલ્યા છે. એવા પ્રકારની યોગદશાને પામી ચુકેલા જે શ્રમણમુનિઓ આ સંસારમાં છે તે મહાત્માઓનાં ચરિત્રો સાંભળવામાં, ચરિત્રો કહેવામાં, તેઓના ગુણગાન અને કથા આદિ કરવામાં હાર્દિક જે પ્રીતિ, ચરિત્ર કહેવાનો ઉમંગ, ગુણ ગાવામાં હર્ષોલ્લાસ તે ઈચ્છાયોગ જાણવો. જે માણસને જેની જેની ઈચ્છા થાય છે તે માણસ તેનું જ વર્ણન કરતો હોય છે. તેનાં જ ગાણાં ગાતો હોય છે. એમ જેને યોગપ્રાપ્તિની ઈચ્છા થઈ તે નિરંતર યોગીઓની કથામાં જ રસ ધરાવે. આ ઈચ્છાયોગ જાણવો. શ્રી યોગવિંશિકા ગાથા પાંચમીના પૂર્વાર્ધમાં પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. આ પ્રમાણે કહે છે કે –
“તે યોગદશાથી યુક્ત એવા મહાત્મા પુરુષોની કથા કરવાની પ્રીતિથી યુક્ત અને આત્મામાં યોગદશા માટેની વિશેષ પરિણામ પામનારી જે તીવ્ર મહેચ્છા તેને ઈચ્છાયોગ કહેવાય છે.’
तस्य सम्यग्दर्शनादिगुणवृद्धिहेतुभूतं क्रियाश्रुताभ्यासपालनं परं, परा उत्कृष्टा સા પ્રવૃત્તિ:। તન્ન
‘“સત્વસ્થુવસનસાર, તપ્પાતળમો પવત્તી ૩ ॥ કૃતિ