SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૪ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ જ્ઞાનસાર तप्तलोहशिलापादमोचनवत् सशङ्कः-ससङ्कोचः च दुःखमेवेदमिति जानन् निर्वेदवानेव ભવતિ | યુવતરું – રાગ અને દ્વેષમાં રક્ત થયેલો મોહબ્ધ એવો જીવ આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે-ઈત્યાદિ મનમાની અનેક પ્રકારની કલ્પનાઓ કહ્યું છે. આ વસ્તુ મારી છે અને હું પણ એનો છું આવી મમત્વપૂર્વકની કલ્પનાઓ પણ કરે છે. I/૧૫ આ રીતે પૌદ્ગલિકાદિ અન્ય પદાર્થોને મારાપણાની બુદ્ધિથી નિરખવા તે બ્રમાત્મક જ્ઞાન છે. તેવા પ્રકારના એકાન્ત ભ્રમાત્મક જ્ઞાનની કલ્પનાથી શુભ પુદ્ગલના સંયોગકાલે જે સુખનો ભ્રમ થાય છે અને શુભપુદ્ગલોની અપ્રાપ્તિ થાય ત્યારે અને અશુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય ત્યારે “મારે ઘણું દુઃખ છે” આવા પ્રકારની દુઃખની કલ્પનારૂપ જે જ્ઞાન થાય છે તે ભ્રમાત્મક છાયા છે. આવા પ્રકારની જે સુખ-દુઃખની મનમાની કલ્પના છે. તે સાચી શીતળતા નથી પણ ભ્રમપૂર્વકની શીતળતા છે. જેમ ઝાંઝવાના જલમાં જે જલબુદ્ધિ થાય છે તે ભ્રમાત્મક બુદ્ધિ છે, તેવી જ રીતે પરદ્રવ્યના સંયોગમાં જે આ સુખ-દુઃખની બુદ્ધિ થાય છે તે પણ ભ્રમ માત્ર છે. (પ્રમાનવ:=) ભ્રમના સ્વભાવવાળા જીવો જ તેમાં આનંદ માને છે. જેમ ભુંડ જેવાં કેટલાંક પ્રાણી વિષ્ટાદિ કાદવમાં જ આનંદ માને, માખી ગંદા પદાર્થમાં આનંદ માને, તેમ મોહાલ્વ જીવો આવા પ્રકારના પરદ્રવ્યના ઈનિષ્ટ ભાવમાં જ આનંદ માને છે, રમે છે. આવા પ્રકારનો ભ્રમ કરાવવો એ જ બાહ્યદષ્ટિનું કાર્ય છે. પરંતુ જે તત્ત્વદષ્ટિ છે તે અધ્યાત્ત છે. ભ્રમ વિનાની દૃષ્ટિ છે. તત્ત્વદૃષ્ટિવાળો આત્મા જ તત્ત્વજ્ઞ કહેવાય છે. સ્વદ્રવ્યનો સ્વભાવ શું? અને પરદ્રવ્યનો સ્વભાવ શું? આમ બને પ્રકારના સ્વ-પરના યથાર્થ સ્વરૂપને યથાર્થ તત્ત્વને જાણવામાં, સ્યાદ્વાદપૂર્વક વસ્તુસ્થિતિ સમજવામાં દૃષ્ટિ છે જેની એવા તત્ત્વદૃષ્ટિવાળા જીવને તત્ત્વજ્ઞપુરુષ કહેવાય છે. આવા જ મહાત્મા પુરુષ આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં રક્ત હોય છે. આવા પ્રકારના આત્મસ્વરૂપના અનુભવમાં રક્ત મહાત્મા પુરુષ આવા પ્રકારની ભ્રમાત્મક છાયામાં-બનાવટી શીતલ છાયામાં “અહીં મને સુખ પ્રાપ્ત થશે” એવા પ્રકારની સુખ પ્રાપ્ત કરવાની અભિલાષાથી રમતા નથી, આનંદ માણતા નથી. આવી ભ્રમજાળમાં સુખ કલ્પતા નથી. કદાચ પૂર્વે બાંધેલા મોહનીયાદિ કર્મોના ઉદયની પરવશતાના કારણે છ ખંડના રાજ્યમાં અને અનેક સ્ત્રી આદિ ભોગ્યભાવોની વચ્ચે વર્તતા હોય, છતાં પણ તપેલા લોઢા. ઉપર પગ મુકવાની તુલ્ય સશંકભાવે અને સંકોચ સહિત તે તે ભાવમાં તેઓ વર્તે છે. દુઃખાતા મનપૂર્વક પ્રવર્તે છે. “આ સંસારનું તમામ સુખ દુઃખમાત્ર જ છે” એમ જાણતા
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy