SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૦ નિર્ભયાષ્ટક-૧૭ જ્ઞાનસાર સર્પોનું શરીર અતિશય કોમળ હોવાથી અને અંદર વિષની ઉષ્ણતા હોવાથી શીતળતાની પ્રીતિવાળું છે. એટલે જ બહુધા દરમાં રહે છે. જ્યાં માટીની શીતળતા જ અનુભવાય છે. તેના જ કારણે જે અરણ્યમાં ચંદનનાં વૃક્ષો હોય છે ત્યાં ચંદન અતિશય શીતળ હોવાથી સર્પો સહેજે સહેજે તે વૃક્ષોને વીંટળાઈને રહે છે. સર્પો શીતળતાપ્રિય હોય છે તે માટે જ્યાં ચંદનનાં વૃક્ષો ઘણાં હોય છે ત્યાં સર્પો વધારે હોય છે. પરંતુ જો ત્યાં મોર ફરતો હોય તો મોરને દેખીને બધા જ સર્પો ભાગી જાય છે. કારણ કે નોળીયા અને સર્પને જેમ જાતિબદ્ધ વૈર હોય છે તેમ મોર અને સર્પને પણ જાતિ-બદ્ધ વૈર હોય છે. તેથી સર્પ હંમેશાં મોરથી ડરતો જ હોય છે. તેવી જ રીતે મહાત્મા પુરુષોના મનમાં આત્મદશાનો જે આનંદ છે તેમાં જ્ઞાનદશાની જે જાગૃતિ છે તેનાથી ભયો રૂપી સર્પો ભાગી જાય છે, ટકતા નથી. અહીં મન તે ઉદ્યાન, આત્મસ્વરૂપનો આનંદ તે ચંદનનું વૃક્ષ, જ્ઞાનદૃષ્ટિ તે મોર અને ભયો તે સર્પ આમ ઉપમા જાણવી. પાા कृतमोहास्त्रवैफल्यं, ज्ञानवर्म बिभर्ति यः । क्व भीस्तस्य क्व वा भङ्गः, कर्मसङ्गरकेलिषु ॥६॥ ગાથાર્થ - કરી છે મોહના શસ્ત્રોની નિષ્ફળતા જેણે એવું જ્ઞાનરૂપી બખ્તર જે મુનિ ધારણ કરે છે, તે મુનિને કર્મરાજાની સાથે યુદ્ધ ખેલવામાં ભય ક્યાંથી હોય? અને તેની હાર પણ ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય. llll ટીકા :- “વૃતિમોદાતિ” તસ્વ-સ્વરૂપાનન્દમોવતુ: વર્ષત્રિપુ-વર્મક્ષયરીસામે મી:-ચં વ ? એ વવ ? નૈવેતિ ા તથ-વસ્થ ? : વૃતમોઢાસ્ત્રवैफल्यं कृतं मोहास्त्रस्य वैफल्यं निष्फलत्वं येन एवंविधं ज्ञानवर्म ज्ञानसन्नाहं बिभर्त्तिधत्ते, तस्य सर्वमोहविदारणदारुणज्ञानसन्नाहधरस्य कर्मकृतस्वगुणघातभीः क्व ? इदमुक्तं भवति-येन नयविभजनपरीक्षितः स्वपरपदार्थसार्थः, तस्य मोहादीनां भयं ન દ્દા વિવેચન :- જે કોઈ એક દેશનો રાજા બીજા દેશના રાજાની સાથે જ્યારે જ્યારે યુદ્ધ ખેલે છે ત્યારે ત્યારે જો પોતાના શરીર ઉપર બખ્તર ધારણ કરીને યુદ્ધ કરે તો તે સામેના રાજા દ્વારા છોડાયેલાં શસ્ત્રોને નિષ્ફળ કરનાર બને છે. તેથી તે રાજાને સામેના રાજા સાથે યુદ્ધ કરતાં ભય હોતો નથી તથા હાર પણ થતી નથી. તે રાજાને નિર્ભય કરવામાં અને જિત મેળવવામાં બખ્તરની મોટી સહાય છે. તેમ મોહરાજાનાં શસ્ત્રોને નિષ્ફળ કરે,
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy