SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી માધ્યસ્થાષ્ટક - ૧૬ मध्यस्थया दृशा सर्वेष्वपुनर्बन्धकादिषु । चारिसञ्जीवनीचारन्यायादाशास्महे हितम् ॥८॥ ૫૦૭ ગાથાર્થ :- અપુનર્બન્ધક આદિ સર્વે જીવોમાં મધ્યસ્થ દૃષ્ટિ વડે અમે ચારિસંજીવની ચરાવવાના ન્યાયથી કલ્યાણ થવાની આશા રાખીએ છીએ. ॥૮॥ ટીકા :- “મધ્યસ્થવા કૃતિ” વયં મધ્યથવા વૃશા સર્વેષુ મૈત્રીપ્રમોવળાવિયુ हितं-कल्याणम्, आशास्महे - इच्छामः । सर्वत्र रागद्वेषपरित्यागानुकूलभावनयाहितं सिध्यति । कस्मात् ? चारिसञ्जीवनीचारन्यायात् तत्रोदाहरणं यथा कश्चित्पुरुषः अजानन्नपि पशुं सञ्चारयन् पशुत्वपरित्यागचक्षुर्धोतकहेतुः जातः । सञ्जीवनीचारणरूपो दृष्टान्तस्तन्यायात् तथा चरणादिषु मन्दप्रयत्नोऽपि अध्यात्मानुगसमभावपरिणतः आत्मानमनादिपशुत्वभावगतमपहाय स्वरूपोपलब्धिरूपं दक्षत्वभेदज्ञानरूपं चाक्षुषत्वं करोति । अत एव सर्वं साध्यसापेक्षस्य साधनं हितम् । साध्यशून्यस्य बालक्रीडारूपम् । उक्तञ्च वीतरागस्तोत्रे વિવેચન :- સંસારી સર્વે જીવો ઉપર મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા અમે હિતની (કલ્યાણની) આશા રાખીએ છીએ, કોઈ-કોઈ જીવો મૈત્રી ભાવનાને યોગ્ય હોય છે. કોઈ કોઈ જીવો પ્રમોદભાવનાને યોગ્ય હોય છે. કોઈ કોઈ જીવો કરુણાભાવનાને યોગ્ય હોય છે અને કોઈ કોઈ જીવો મધ્યસ્થભાવનાને યોગ્ય હોય છે. આમ જે જીવો જેવી કક્ષાના હોય છે તે જીવો ઉપર તેવી તેવી ભાવના રાખવા વડે મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા તેઓનું હિત-કલ્યાણ કેમ થાય ? એ રીતે અમે સર્વત્ર હિત થવાની-કલ્યાણ થવાની આશા રાખીએ છીએ-કલ્યાણ થાય એમ ઈચ્છીએ છીએ. સર્વસ્થાનોમાં રાગ અને દ્વેષના ત્યાગને અનુકૂલ અર્થાત્ રાગ-દ્વેષ રહિતપણે મધ્યસ્થ ભાવના દ્વારા પ્રવૃત્તિ કરવાથી હિતની-કલ્યાણની સિદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં આવા પ્રકારની મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા જે કલ્યાણની સિદ્ધિ કહી છે તે ચારિસંજીવની ચારના ન્યાયથી કહી છે. તેનું સુંદર ઉદાહરણ આ પ્રમાણે છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગના ગ્રન્થોમાં આવું એક ઉદાહરણ આવે છે કે - કોઈ એક ગામમાં, બે બાલિકાઓ હતી. પરસ્પર અતિશય ઘણા સ્નેહવાળી હતી. ઉંમરલાયક થતાં બન્નેનાં લગ્ન થયાં. લગ્ન થવાથી બન્ને પોત-પોતાના સસરાના ઘરે ગઈ. શ્વસુરગૃહે જવાથી બન્નેના ગામ દૂર દૂર થયાં. મળવાનું દુષ્કર બન્યું. તેમાં એક સ્ત્રીને
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy