________________
જ્ઞાનસાર
૪૫૨
વિવેકાષ્ટક - ૧૫ વિચારવાથી કંઈ દોષ લાગતો નથી. બુદ્ધિગત ઘટમાં સમજાવેલી કરણકારકતા મૃન્મયઘટમાં પણ લાગુ પડે છે.
તથા કુંભકાર ઘટકાર્યના પૂર્વકાલવર્તી સ્થાસ-કોશ-કુશુલ આદિ પર્યાયોને જ્યારે બનાવતો હોય છે ત્યારે સ્થાસાદિ કરવાના કાલે પણ જો કોઈ તે કુંભકારને પૂછે કે “તું શું કરે છે ?” તો તેનો ઉત્તર કુંભકાર એમ જ આપે છે કે “હું ઘટ કરું છું”, “હું સ્વાસકોશ કરું છું” એમ કહેતો નથી. તેનો અર્થ એ થાય છે કે બુદ્ધિમાં અધ્યવસિત ઘટની સાથે ભાવિમાં બનવા વાળા ઘટની એકતા છે, એકરૂપ અધ્યવસાય છે. બન્ને ઘટનો અભેદોપચાર હોવાથી બુદ્ધિગતઘટની જે કારણતા છે તે જ કારણતા નિષ્પદ્યમાનઘટની પણ મનાય છે. તેથી ઘટ કર્મકારક પણ છે અને તે જ ઘટ પોતાની ઉત્પત્તિનું કરણકારક પણ છે. ર૧૧all
अथवा-भव्यो योग्यः स्वरूपलाभस्येति शक्य उत्पादयितुमतः सुकरत्वात्कार्यमप्यात्मनः कारणमिष्यते । अवश्यं च कर्मणः कारणत्वमेष्टव्यम्, यत्-यस्मात् समस्तकारणसामग्रीसन्निधानेऽपि नैवमेव कोशार्थं प्रारम्भः, किन्तु विवक्षितकार्यार्थमतस्तदविनाभावित्वात् तत्क्रियायाः कार्यमप्यात्मनः कारणमिति । एतदेव भावयतिર૬૨૪
જે ઉપાદાન કારણમાંથી ઘટ-પટાદિ કાર્યના સ્વરૂપનો લાભ (કાર્યનો આવિર્ભાવ) થઈ શકે તેમ છે. આવિર્ભાવ કરવાને યોગ્ય છે. જે કારણમાંથી કાર્ય ઉત્પન કરવું શક્ય છે. ત્યાંથી જ કાર્ય કરવું સુકર (સુલભ) છે. આ રીતે કાર્ય પણ પોતાની પ્રગટતાનું કારણ સ્વીકારી શકાય છે. કાર્યકારક (કર્મકારક) પણ કરણકારક હોઈ શકે છે. તેથી કર્મને પણ કારણતા (કરણકારકતા) અવશ્ય સ્વીકારી શકાય છે.
તથા બુદ્ધિગત-ઘટની કારણતા આ રીતે પણ સંગતિને પામે છે કે - ઘટ બનાવવાની સમગ્ર કારણસામગ્રી સામે હોવા છતાં પણ જે કુંભકારે ઘટ બનાવવાનો પ્રારંભ કર્યો છે તે પ્રથમ તો સ્વાસ-કોશ-કુશુલાદિ જ બનાવે છે ઘટ તો અંતે જ બને છે તો પણ તેને કોઈ પુછે કે હે કુંભકાર ! તું શું બનાવે છે? ત્યારે તેના તરફથી આવો જ ઉત્તર મળે છે કે “હું કુંભ બનાવું છું” તે ક્યારેય એમ કહેતો નથી કે “હું સ્વાસ-કોશ-કુશૂલ બનાવું છું તેથી નક્કી થાય છે કે આ પ્રયત્ન વિવક્ષિત કાર્ય એવા ઘટ માટે જ છે પણ સ્થાસાદિ માટે નથી. તેથી
જ્યારથી ઘટ બનાવે છે ત્યારથી જ બુદ્ધિગત ઘટ તે ઘટોત્પાદનક્રિયામાં અવશ્ય જોડાયેલો જ છે. આ રીતે ઘટોત્પાદનની ક્રિયા તે બુદ્ધિગતઘટની સાથે અવિનાભાવવાળી હોવાથી ઘટાત્મક કાર્ય પણ (કર્મ પણ) પોતાનું કારણ (કરણકારક) બને જ છે. અહીં મૂલગાથામાં “s