________________
૪૦૮
વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર
પ્રાપ્ત કરાવનારી વિદ્યા છે, સર્વોત્તમ વિદ્યા છે. કેટલાક આચાર્યો કેવલજ્ઞાનસ્વરૂપ સિદ્ધવિદ્યાને એવંભૂતનયથી વિદ્યા કહે છે. કારણ કે અન્તિમ વિદ્યા તો તે જ છે.
પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિકનયના ભેદ છે એટલે દ્રવ્ય નિક્ષેપને માને છે. તેથી દ્રવ્યનિક્ષેપામાં અંતર્ગત ગણાતી કારણસ્વરૂપ જે વિદ્યા છે તેને ગ્રહણ કરનારા ચાર નય છે અને પાછલા ત્રણે નયો ભાવનિક્ષેપા સ્વરૂપ હોવાથી કાર્યસ્વરૂપ વિદ્યાને વિદ્યા કહે છે. તેથી ત્યાં કાર્યાત્મક વિદ્યા ગ્રહણ કરેલી છે. તે ત્રણ નયોમાં પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ વિદ્યાને સ્વીકારેલી છે ત્યાં પ્રથમના ચાર નયને માન્ય એવી કારણાત્મક વિદ્યાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માએ પાછલા ત્રણ નયને માન્ય એવી કાર્યાત્મક (અર્થાત્ સાધ્યભૂતલક્ષ્યભૂત) એવી વિદ્યા પ્રત્યે વધારે ને વધારે આદરમાનવાળા = બહુમાનવાળા બનવું જોઈએ. કારણ કે અન્તે તો તે જ વિદ્યા પ્રાપ્ત કરવાની છે અને તે જ આત્માનું શ્રેયઃ કરનારી છે.
नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु ।
અવિદ્યા તત્ત્વધીવિદ્યા, યોગાચાર્યે: પ્રòીર્તિતા છ્તા
ગાથાર્થ :- અનિત્ય, અશુચિ અને અનાત્મભૂત (આત્માથી ભિન્ન) એવા શરીરાદિને વિષે નિત્યપણાની, શુચિપણાની અને મારાપણાની જે બુદ્ધિ (માન્યતા) તે અવિદ્યા છે અને યથાર્થતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ છે તે વિદ્યા છે એમ યોગાચાર્ય પુરુષો વડે કહેવાયું છે. ૧૫
ટીકા :- “નિત્યશુદ્ધેતિ' અનિત્યાશુનાત્મસુ નિત્ય-શુદ્ધાત્મતાબ્રાતિ: “अविद्या” इत्यन्वयः, अनित्ये - चेतनात् जातिभिन्नमूर्तपुद्गलग्रहणोत्पन्ने परसंयोगे या नित्यताख्यातिः सा अविद्या, अशुचिषु - शरीरादिषु श्रवन्नवद्वाररन्ध्रेषु शुद्धस्वरूपावरणनिमित्तेषु शुचिख्यातिः ( शुचिताख्यातिः ), अनात्मसु - पुद्गलादिषु આત્મતારવ્યાતિ:-‘‘અહં મનેતિ બુદ્ધિઃ-ફવું શરીર મમ, અમેêતત્, તસ્ય પુર્ણ પુí:'' કૃતિ ધ્યાતિ:-થન-જ્ઞાનં તત્ર રમામ્, ચમવિદ્યા-ભ્રાન્તવૃદ્ધિ: । યા ચ તત્ત્વધી:तत्त्वबुद्धिः, शुद्धात्मनि नित्यता शुचिता आत्मता इति ज्ञप्तिः विद्या तत्त्वविवेकः ।
વિવેચન :- જે વસ્તુ અનિત્ય છે, અપવિત્ર છે અને પરાયી છે (પોતાની નથી) તે વસ્તુને નિત્ય માનવી, પવિત્ર માનવી અને પોતાની માનવી તેને અવિદ્યા, ભ્રાન્તબુદ્ધિ અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે. ચેતન એવા આત્માથી જે ભિન્ન જાતિના છે, મૂર્ત છે અને પુદ્ગલ દ્રવ્યોના ગ્રહણથી ઉત્પન્ન થયેલા છે તેવા પરસંયોગોમાં જે નિત્યતાબુદ્ધિ થાય છે તે અવિદ્યા કહેવાય છે.