________________
જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨
૩૬૩ स्वस्य कुलसम्पन्नतादिख्यातिं न प्रादुष्कुर्यात्-न प्रकटीकरोति इत्यादि । निःस्पृहाः महत्त्वं न ख्यापयन्ति न विशदीकुर्वन्ति, निःस्पृहस्य न यशोमहत्त्वाभिलाषः ॥६॥
વિવેચન :- જે મુનિ નિઃસ્પૃહ હોય છે. એટલે કે લોકોમાં મારી મોટાઈ, યશ કેમ વધે ? પ્રશંસા કેમ થાય ? આવા પ્રકારની લૌકિક સ્પૃહાથી જે મુનિ રહિત છે તે મુનિ ક્યારેય પણ ક્યાંય પણ પોતાની ગૌરવ-પ્રકૃષ્ટતા અને ખ્યાતિ ગાતા નથી, આવા પ્રકારના સારા સારા ગુણો તેઓમાં હોય છે. તો પણ નિઃસ્પૃહ હોવાથી પોતે પોતાના ગુણો ગાતા નથી કે ગવરાવવાને ઈચ્છતા નથી.
સુંદર નિરતિચાર ચારિત્ર પાળવાથી આખું ગામ વંદન-નમન કરવા આવે, આમ પીરજનો વડે વંદનીયતા તે મહાત્મામાં હોવા છતાં પણ પોતાની ગૌરવતા (ગુરુતા-ગુપણું) ક્યારેય ગાતા નથી અને ગવરાવતા નથી. ગામોમાં પોતાની પ્રતિષ્ઠા-માન-મોભો-શોભા સારી હોય તો પણ તે પ્રકૃષ્ટતા-મોટાઈ પોતે ગાતા નથી. તથા જાતિગત (જન્મથી જ) જે જે ગુણો હોય છે જેમકે શ્રેષ્ઠકુલમાં જન્મ, ઉચ્ચગોત્રમાં જન્મ, સંસ્કારીપણું અને બળવાળાપણું, લક્ષ્મીવાનના ઘરોમાં જન્મ કુલસંપન્નતા (કુલીનતા) ઈત્યાદિ ગુણો હોવાથી પોતાની ખ્યાતિ (પ્રસિદ્ધિ) ઘણી હોય તો પણ તે ખ્યાતિ અજાણ્યા દેશમાં (જે દેશના લોકો તેમની ખ્યાતિ ન જાણતા હોય ત્યાં) પોતે પોતાના મુખે ગાતા નથી. પ્રગટ કરતા નથી આ સઘળી નિઃસ્પૃહતા જાણવી. તથા ગંભીરતા, ઠરેલતા, ગુણો પચાવવાપણું વગેરે નિઃસ્પૃહતાનાં ફળો જાણવાં.
નિઃસ્પૃહ એવા મહાત્માઓ પોતાની મોટાઈ કહેતા નથી, પ્રગટ કરતા નથી, પ્રગટ કરાવતા નથી અને કોઈ પ્રગટ કરે તો તેનાથી તેઓ ખુશ થતા નથી. કારણ કે નિઃસ્પૃહ મુનિને યશની અને મોટાઈની અભિલાષા ક્યારેય હોતી નથી. દી
भूशय्या भैक्षमशनं, जीर्णं वासो गृहं वनम् । तथापि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ॥७॥
ગાથાર્થ :- મુનિ મહાત્માને ભૂમિ એ જ શય્યા, ભિક્ષાથી પ્રાપ્ત એ જ ભોજન, જીર્ણ એવું વસ્ત્ર અને વન એ જ ઘર હોય છે. તો પણ આશ્ચર્યની વાત છે કે નિસ્પૃહ એવા તે મુનિને ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ હોય છે. શા
ટીકા :- “મૂર્થિી તિ” :-વસુન્ધરા વ શર્થ-પત્ય, શૈક્ષ-fપક્ષી जातं भैक्षमशनं भोजनम् । उक्तञ्च