________________
૩૬૨
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
રૂની જેમ અતિશય લઘુ, હલકા, તુચ્છ વૃત્તિવાળા, ગરીબડા અને મૂલ્ય વિનાના થયા છતા આશાઓ વ્યક્ત કરતા દેખાય છે. શાસ્ત્રમાં અન્યત્ર કહ્યું છે કે -
ઘાસના તણખલાથી પણ આકડાનું રૂ ઘણું હલકું છે (વજનમાં ફોરું છે), પરંતુ તે આકડાના રૂ કરતાં પણ યાચક (માગનાર) ઘણો લઘુ (હલકો) છે. વાયુ વડે હલકું હોવાથી તૃણ લઈ જવાય છે. આકડાનું રૂ પણ હલકું હોવાથી લઈ જવાય છે. પણ અતિશય હલકો હોવા છતાં યાચકને વાયુ વડે લઈ જવાતો (ઉડાડાતો) નથી. કારણ કે વાયુને પણ મનમાં એમ શંકા થાય છે કે જો હું આ યાચકને લઈ જઈશ તો તેની યાચકવૃત્તિ હોવાથી મારી પાસે પણ કંઈક માગશે. માટે તૃણ અને તૂલને આકાશમાં લઈ જાઉં પણ યાચકને ન લઈ જાઉં. આમ વિચારીને વાયુ વડે યાચક લઈ જવાતો નથી.
તેથી ઘણું જ આશ્ચર્ય થાય છે કે વજનમાં હલકી વસ્તુ-લઘુવસ્તુ તરવી જોઈએ ઉપર ઉડવી જોઈએ પરંતુ આ સ્પૃહાવાળા જીવો હલકા-લઘુ હોવા છતાં સ્પૃહાદિના કારણે જ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે. સામાન્યથી વિચારીએ તો “લઘુતા” (હળવાપણું-ફોરાપણું) એ તરવાનો હેતુ છે. છતાં સ્પૃહા, આશા અને લોભવાળા જીવોમાં રહેલી લઘુતા (હળવાપણું) ભવમાં ડૂબાડવાનું કારણ બને છે. જે લઘુતા તરણ-હેતુ છે તે જ લઘુતા સ્પૃહાવાળામાં મજ્જનહેતુ બને છે. જો કે તેઓની પાસે કોઈ (તેમનાથી પણ વધારે ગરીબાઈવાળા) પ્રાર્થના આદિ કરે તો તેઓને (પ્રાર્થનાદિ કરનારાને) દાનાદિ કરવાના વ્યવહારવાળા પણ કદાચ આ પુરુષો થાય છે. તો પણ અધિકને અધિક લેવાની ઈચ્છાવાળા અને ત્રણે ભુવનનું
તમામ ધન લઈ લેવાની પિપાસાવાળા અને સર્વે મારાં સ્વજનો થઈને મારાં કામો કરે આવી મોટી પિપાસાના ભારથી ભારે ભારે થયેલા તેઓ આવી આશાના ભારથી વજનદાર થયા છતા સંસારમાં ડૂબે છે. માટે આ સ્પૃહા ત્યાજ્ય છે. પા
गौरवं पौरवन्द्यत्वात्, प्रकृष्टत्वं प्रतिष्ठया ।
ख्यातिं जातिगुणात् स्वस्य प्रादुष्कुर्यान्न निःस्पृहः ॥६॥
ગાથાર્થ :- નગરજનો વડે વંદનીય હોવાથી મહામુનિઓમાં ગૌરવપણું છે. પ્રતિષ્ઠા સારી હોવાથી મોટાઈ સારી છે. જાતિસ્વભાવના સુંદર ગુણો હોવાથી પ્રસિદ્ધિ સારી છે. છતાં નિઃસ્પૃહ મુનિ પોતાના ગોરવને, પ્રકૃષ્ટતાને અને ખ્યાતિને ક્યારેય ક્યાંય પ્રગટ કરતા નથી. ॥૬॥
ટીકા :- “ગૌરવમિતિ' નિ:સ્પૃg:-તૌસ્પૃિહારહિત:, પૌરવન્ધત્વાત્નાગરિતોવન્ધાત્, ગૌરવ-ગુરુત્વમ્, પ્રતિષ્ઠયા-શોમયા, પ્રવૃૠત્વ, જ્ઞાતિનુળાત્