SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૨૭ અસલી સ્વરૂપને પરાયું માને છે તથા મોહાન્ધતાના કારણે જ પોતાના આત્માને ચોરી, જુઠ, મૈથુન, હિંસા આદિ ન કરવા લાયક પાપકાર્યો કરવામાં જ ચતુરાઈપૂર્વક પ્રવર્તાવે છે. પોતાના આત્માને પાપકાર્યોમાં જ જોડે છે. તેમાં જ તન્મયતા કરે છે. દારૂડીયાની સાથે તેના કહેવાતા મિત્રો જેમ તાળીઓ પાડીને ઉંચા ઉંચા અવાજે બીભત્સ શબ્દો બોલતા છતાં દારૂડીયાને રમાડે છે તેમ સગાં-વહાલાંઓ-સ્નેહીજનો પોતપોતાની ઈચ્છાઓ અને આશાઓ પૂર્ણ કરવા માટે આ જીવને આવા પ્રકારના પાપકાર્યોમાં જોડે છે. જેમ જેમ પોતપોતાની ઈચ્છાઓ આ જીવથી સંતોષાતી જાય છે તેમ તેમ આ જીવને માન આપીને, પ્રશંસા કરીને, પ્રેમ બાંધીને આવાં પાપકાર્યો કરાવવા દ્વારા ચાર ગતિરૂપી સંસારમાં ભમાડાય છે અને પોતાના અસલી મૂલ-સ્વરૂપને ભૂલી ગયેલો-મોહાન્વ બનેલો આ જીવ પણ મોહાન્યતાના કારણે આવાં પાપકાર્યો કરીને ચાર ગતિરૂપ સંસારમાં લડથડીયાં ખાતો ખાતો રખડે છે. આ કારણથી જ જેમ મદિરાપાન ત્યજવા જેવું છે તેવી જ રીતે સંસારી ભાવોનો મોહ પણ ત્યજવા યોગ્ય છે. એ જ શ્રેયસ્કર માર્ગ છે. ગુરુજી આપણને આ શ્લોકમાં આવો ઉપદેશ આપે છે. ।।૫।। निर्मलस्फटिकस्येव, सहजं रूपमात्मनः । अध्यस्तोपाधिसम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥६॥ ગાથાર્થ :- આત્માનું સ્વાભાવિક મૂલસ્વરૂપ નિર્મળ સ્ફટિકના જેવું શુદ્ધ છે. પરંતુ આરોપિત કરાયેલા ઉપાધિઓના સંબંધવાળો મૂર્ખ મનુષ્ય તેમાં (આરોપિત સ્વરૂપમાં) મોહ પામે છે. ૬॥ ટીકા :- “નિર્મલ” કૃતિ-નિર્મલટિસ્ય નિર્દોષનિરાવરગનિસ્યંગ ટિસ્ય इव आत्मनः ज्ञायकद्रव्यस्य सहजं स्वाभाविकं शुद्धं रूपमस्तीत्यनेन वस्तुवृत्या आत्मा स्फटिकवत् निर्मल एव - निस्सङ्ग एव, सङ्ग्रहनयेन आत्मा परोपाधिसङ्गी एव नास्ति, परमज्ञायक-चिदानन्दरूपः, अध्यस्तोपाधिसम्बन्ध: - 'प्राप्तपुद्गलसंसर्गजकर्मोपाधिसम्बन्धः, अनेकग्लान-म्लानावस्थः जडः वस्तुस्वरूपापरिज्ञानी तत्र उपाधिभावे मुह्यतिएकत्वं प्राप्नोति । વિવર્ચન :- જેમ સ્ફટિક નામનું દ્રવ્ય નિર્મળ હોય છે તેમ આ આત્મા અત્યન્ત નિર્મળ સ્વરૂપવાળો છે. કોઈપણ જાતના ભાંગવા-તુટવાના કે ચિરાડ પડવાના દોષ વિનાનું ૧. અહીં કોઈ કોઈ પ્રતમાં પ્રાપ્ત ને બદલે લ્પિત શબ્દ છે. તે શબ્દ વધારે સંગત છે.
SR No.007776
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy