SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૮૭ ટીકા :- “જ્ઞાનકુમતિ” “તોમવિક્ષોભ ” ગધૈર્થાત્ જ્ઞાન, વિનશ્વેત ! लोभः-लोलतापरिणामः', इच्छा मूर्छा गृध्नता काङक्षा इत्यादि लोभपर्यायाः । तद्भावजन्या विक्षोभाः-परभावाभिलाषरूपाः अशुद्धपरिणामाः, त एव कूर्चकाः, तैर्ज्ञानं तत्त्वावबोधतत्त्वैकत्वरूपम्, दुग्धमिव दुग्धम्, विनश्येत-क्षयं लभेत, लोभपरिणामः आत्मस्वरूपानुभवविनाशहेतुः कस्मादिव ? आम्लद्रव्यादिव, यथा आम्लद्रव्ययोगे पयो विनश्यति तथा लोभपरिणत्या आत्मस्वरूपसुखं विनश्यतीति । लोभपरिणामः-परभावग्रहणेच्छापरिणामः-आत्मगुणानुभवविध्वंसहेतुः, इति ज्ञात्वा आत्मस्वरूपे-अखण्डानन्दरूपे चित्स्वरूपे अवर्णागन्धारसास्पर्शे आत्मनि श्रद्धानज्ञानरमणतया स्थिरो भव ॥२॥ વિવેચન - અસ્થિરતાથી લોભના વિકારોરૂપી કૂચાઓ દ્વારા જ્ઞાનરૂપી દૂધ વિનાશ પામે છે. અહીં લોભ શબ્દનો અર્થ લોલતાવાળો પરિણામ, એટલે કે લોલુપતાવાળો આત્માનો મલીન પરિણામ. આસક્તિવાળો-તૃષ્ણાવાળો મલીન પરિણામ એવો અર્થ કરવો. ઈચ્છામૂછ-ગુબતા અને કાંક્ષા ઈત્યાદિ (આદિ શબ્દથી તૃષ્ણા-ઝંખના-વાંછા-અભિલાષા ઈત્યાદિ) શબ્દો લોભના જ પર્યાયવાચી શબ્દો છે. તદ્ધીવનન્ય = હૃદયમાં રહેલી તે મૂછના કારણે ઉત્પન્ન થયેલા જે વિકારો -પરપદાર્થને મેળવવા રૂપ અશુદ્ધ પરિણામો તે લોભવિક્ષોભ કહેવાય છે. તેવા પ્રકારના આસક્તિજન્ય જે અશુભ પરિણામો છે તે રૂપી જે કૂચાઓ, તેના વડે જ્ઞાનરૂપી દૂધ નાશ પામે છે. યથાર્થ તત્ત્વનો જે અવબોધ, તેની સાથે આત્માની જે એકતા તે સમ્યજ્ઞાન કહેવાય છે તે સમ્યજ્ઞાનનો લોભના વિકારોરૂપી કૂચાઓ વડે નાશ થાય છે. પરદ્રવ્યની આસક્તિરૂપ જે લોભપરિણામ છે તે આત્મદ્રવ્યના સ્વરૂપના અનુભવના નાશનું જ કારણ છે. આ જીવ જેટલો જેટલો પરભાવના પરિણામમાં વર્તે છે. તેટલો તેટલો પોતાની સ્વભાવદશામાંથી શ્રુત થાય છે. આ સ્વાભાવિક નિયમ છે. સંસારમાં પણ સામાન્યથી આ જણાય છે કે જે સ્ત્રી અથવા પુરુષ પોતાના ઘરથી બહાર ભટકે એટલે કે વ્યભિચારી બને, પરપાત્રની સાથે જોડાય, તેટલું તેટલું તે પાત્રોનું ચિત્ત ઘરમાંથી વિનાશ પામે છે. અહીં દૂધનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન થાય છે કે દૂધ કોના થકી નાશ પામે છે? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે માનદ્રવ્યાત્ = ખાટા દ્રવ્યથી, જેમ લીંબુ૧. નન્નતા શબ્દ પૂ. રમ્યગુણાશ્રીજી મ.શ્રીના પુસ્તકમાં છે. સ્નોલુપતા કોઈ કોઈ છાપેલી પ્રતમાં છે. અર્થ બન્નેનો સરખો છે.
SR No.007776
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy